ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત 14 નેતાને પ્રધાનમંત્રીએ દિલ્હી બોલાવ્યાં
આ 14 નેતાઓને પ્રધાનમંત્રીએ 24 મી દિલ્હી બોલાવ્યા
પ્રધાનમંત્રીએ જે 14 નેતાઓને બેઠક માટે દિલ્હી બોલાવ્યાં છે તેમાં ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ, ફારુક અબ્દુલા, તેમના પુત્ર ઉમર અબ્દુલા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ તથા પીડીપી નેતા મહેબૂબા મુફતી, પૂર્વ ઉપમુખ્યમંત્રી કોંગ્રેસ નેતા તારાચદ, પીપીપી લીડર હુસેન બેગ ભાજપ નેતા નિર્મલ સિંહ તથા કવિન્દ્ર ગુપ્તા, સીપીઆઈ નેતા મોહમ્મદ યુસુફ તારાગામી, જમ્મુ કાશ્મીર અપની પાર્ટી ચીફ અલ્તાફ બુખારી, પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન, પેન્થર્સ પાર્ટીના ભીમસિંહ સામેલ છે.
બેઠકમાં કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરના અનેક મુદ્દા પર ચર્ચા કરશે
આ જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. આ બેઠકમાં કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરી શકે છે. વર્ષ 2019માં કલમ 370 ને ખતમ કરવા પર ઉભી થયેલી રાજનીતિક અવરોધને સમાપ્ત કરવા માટે પીએમનું આ પહેલુ મોટું પગલું છે. જમ્મુ કાશ્મીરના એક વરિષ્ઠ નેતાએ એક ચેનલને જણાવ્યું કે અમે આવનારા અઠવાડિયે એક બેઠક અંગે સૂચિત કરવામાં આવ્યા છે. જોકે અમે ઔપચારિક નિમંત્રણની રાહ જોઈ રહ્યા છીએ.
જમ્મુ કાશ્મીરને વિભાજીત કરવાની અફવા બિલકુલ પાયાવિહોણી-સૂત્રો
સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરને વિભાજીત કરવાની અફવા બિલકુલ પાયાવિહોણી છે અને આવું કંઈ પણ થવાનું નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી ચર્ચા ચાલી રહી છે કે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી શકે છે અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાળવી રાખવામાં આવી શકે. એટલુ જ નહીં સાઉથ અને નોર્થ કાશ્મીરને અલગ તથા શ્રીનગરને અલગ કરવાની પણ અફવા ફેલાઈ હતી.
સૂત્રોએ જણાવ્યું કે સર્વપક્ષીય બેઠક કાશ્મીરની જનતાના હિતમાં રાજકીય પ્રક્રિયાને સ્થાપિત કરવાની દિશામાં ભરવામાં આવેલું મોટું પગલું છએ. સરકાર કાશ્મીરમાં આ વર્ષના અંત સુધઈમાં તમામ પક્ષોના સહયોગથી પ્રક્રિયા પૂરી કરી લેવા માંગે છે સાથે વર્ષના અંત સુધીમાં અથવા તો પછી આગામી વર્ષના માર્ચ સુધીમાં વિધાનસભાની ચૂંટણી કરાવવા માંગે છે.