અગામી તા.14થી ગોચર ભ્રમણમાં સૂર્ય ધન રાશિમાં સતત 1 માસ પરીભ્રમણ કરશે. આ ભ્રમણ શુભ માનવામાં આવતું નથી કારણ કે ગ્રહ મંડળનો રાજા ગુરુની રાશિમાં ભ્રમણ કરવાથી નૈસર્ગિક રીતે તેના કારકત્વમાં ઓટ વર્તાય છે. કોઈ પણ શુભ કાર્યમાં બરકત લાવવા માટે સૂર્ય, ગુરુનું નૈસર્ગિક બળ હોવું જરૂરી છે. જયોતિષની પરીભાષામાં સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરવાથી ધનારક એટલે કે કમૂરતા ગણાય. જેને કારણે લગ્ન કે કોઈ પણ શુભકાર્યોનિષેધ માનવામાં આવે છે. જે આગામી 14 જાન્યુઆરી સુધી રહેશે.
સૂર્ય પોતે ગુરુની રાશિમાં પરિભ્રમણ કરવાથી સૂર્ય પોતે નૈસર્ગિક રીતે ગુરૂ ગ્રહનું બળ ઘટાડે છે માટે તમામ પ્રકારના શુભ કાર્યો નિષેધ માનવામાં આવે છે પરંતુ ગર્ભ શ્રીમંત, માતાજીના લોટા, સત્યનારાયણ ભગવાનની કથા તથા નવગ્રહ શાંતિ કર્મ, લધુ રુદ્ગ, શિવ પુજા ઇત્યાદિ કરી શકાશે. આ ભ્રમણ રાજકીય મહાનુભાવો માટે પરિવર્તનશીલ રહેશે. દૈવઆચાર્યો માટે વધુ કપરો બની શકે. યુવાવર્ગ માટે લાભદાયી નીવડશે. ત્યારે કઈ રાશિ પર તેની કેવી અસર થશે આવો જાણીએ
મેષ (અ.લ.ઇ.)
નવા રોકાણોમાં લાભની સંભાવના. પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય. આર્થિક બાબતે સંભાળીને કામ કરવું. લેવડ દેવડમાં છેતરાઈ ના જવાય માટે સાચવવું.