દેશમાં 24મી માર્ચથી બંધ થયેલી વિમાની સેવા આવતીકાલથી શરૂ થઈ રહી છે. ત્યારે વિમાની સેવા શરૂ થતાં પહેલા ભારત સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. બસ, રેલવે અને વિમાનથી મુસાફરી કરનારા લોકો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
25 મેથી શરૂ થઇ વિમાની સેવા
ભારત સરકારે જાહેર કરી ગાઇડલાઇન
વિદેશથી આવતા લોકોને 14 દિવસ ફરજિયાત કોરન્ટાઈન થવું પડશે
જેમાં જે લોકો એસીમ્પટોમેટિક છે તેમને પણ મુસાફરી કરવાની મંજૂરી અપાઇ છે. લક્ષણો વગરના કોરોનાના દર્દીઓને રેલવે, વિમાન મુસાફરીની મંજૂરી મળશે. અને વિદેશથી આવતા લોકોને 14 દિવસ ફરજિયાત કોરન્ટાઈન થવું પડશે.
વિદેશથી આવતા લોકોને 14 દિવસ ફરજિયાત કોરન્ટાઈન થવું પડશે
જેમાં 7 દિવસ સરકારી વ્યવસ્થામાં અને 7 દિવસ ઘરે કોરન્ટાઈન રહેવું પડશે. આ ઉપરાંત આરોગ્ય સેતુ એપ પણ મુસાફરે ફરજિયાત ડાઉનલોડ કરવી પડશે. અને ઘરેલુ મુસાફરી કરનારા લોકોએ 7 દિવસ ફરજિયાત કોરન્ટાઈન રહેવું પડશે. પહેલી ફ્લાઇટ દિલ્હીથી કોલકાતા ઉપડશે.
કેન્દ્રીય મંત્રીએ ગઇકાલે જ ફેસબુક પર ઇન્ટરનેશનલ ફ્લાઇટલને લઇને કર્યો છે ઇશારો
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી શનિવારે પોતાના સત્તાવાર ફેસબુક પેજ પર લાઇવ થયાં હતા. આ દરમિયાન તેમણે લોકોના સવાલોના જવાબ આપ્યા હતા. ત્યારે એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિના પહેલા અમે ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા શરૂ કરી શકીએ છીએ, જો કે, ફ્લાઇટ શરૂ કરતા પહેલા દેશમાં કોરોના વાયરસની સ્થિતિનો તાગ મેળવાશે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી અને એરલાયન્સ કંપનીઓ સંપૂર્ણ રીતે તૈયાર છે.
ઘરેલુ પ્રવાસ માટે શું કરવું પડશે?
ભારત સરકારે બસ, રેલવે અને વિમાનમાં મુસાફરી કરનારા લોકો માટે ગાઈડલાઈન જાહેર કરી
જેને લક્ષણો ન હોય તેવા કોરોના પોઝિટિવ દર્દીઓ પ્રવાસ કરી શકશે
એસીમ્પોમેટિક દર્દીઓએ ઘરે જઈને 14 દિવસ કોન્ટાઈન થવું પડશે
લક્ષણો ન હોય તેવા પેસેન્જર્સે પોતાના સ્વાસ્થ્યનું 14 દિવસ મોનિટરિંગ કરવું
યાત્રીઓને શું કરવું અને શું ન કરવું તેની માહિતી આપવી પડશે
તમામ મુસાફરોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે
રાજ્ય સરકારોએ થર્મલ સ્ક્રીનિંગની જવાબદારી લેવી પડશે
મુસાફરે તમામ પ્રકારના પગલાઓ આવકારવા પડશે. માસ્ક પહેરવું ફરજિયાત
એરપોર્ટ, રેલવે સ્ટેશન પર સાબુ, સેનેટાઈઝર ફરજિયાત મુકવા પડશે
જે મુસાફરને કોરોના પોઝિટિવ હશે તેને ફરજિયાત હોસ્પિટલમાં દાખલ કરાશે
આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને શું કરવાનું?
આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારા લોકો માટે ભારત સરકારે ગાઈડલાઈન જાહેર કરી
આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારાએ લેખિતમાં આપવું પડશે કે 14 દિવસ કોરન્ટાઈનમાં રહીશ
7 દિવસ પોતાના ખર્ચે અને 7 દિવસમાં ઘરમાં સેલ્ફ આઈસોલેશન ફરજિયાત
ખાસ કિસ્સાઓમાં 14 દિવસ હોમકોરન્ટાઈનની પરવાનગી પણ અપાશે
સાથે 10 વર્ષથી નાના બાળકો કે પ્રેગનેન્ટ મહિલાને ઘરે 14 દિવસ રહેવા પરવાનગી આપશે
આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરીને આવનારા મુસાફરો માટે આરોગ્ય સેતુ એપ ફરજિયાત
થર્મલ સ્ક્રીનીંગ પછી લક્ષણો વગરના પેસેન્જર્સને જ બોર્ડિંગની પરવાનગી અપાશે
સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ફ્લાઈટ કે શીપમાં જ મુસાફરને આપવામાં આવશે
એરપોર્ટ, લેંડપોર્ટ પર તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ ફરજિયાત કરવું પડશે
રાજ્યોએ કરેલી વ્યવસ્થા પ્રમાણે તમામ મુસાફરોએ કોરન્ટાઈન ફેસિલિટી પર જવું પડશે
મુસાફરોને લક્ષણો જણાશે તો ત્યાંના ડોક્ટર નક્કી કરશે કે ઘરે જવા દેવા કે હોસ્પિટલમાં
પ્રવાસીઓ માટે રાજ્યોના નિયમો શું?
મહારાષ્ટ્ર - વિમાન સેવા શરૂ કરવાની તારીખ નક્કી નથી
ઉત્તરપ્રદેશ - શું કામ રાજ્યમાં આવ્યા છો તે કહેવું પડશે
ઉત્તરપ્રદેશ - પાછા ક્યારે જવાના છો તે પણ કહેવું પડશે
ઉત્તરપ્રદેશ - યૂપીના વતનીઓએ 14 દિવસ હોમ કોરન્ટાઈન ફરજિયાત
પંજાબ - કોઈપણ યાત્રીએ 14 દિવસ હોમ કોરન્ટાઈન થવું પડશે
આંદામાન નિકોબાર - 14 દિવસ હોમ કોરન્ટાઈન થવું પડશે
છત્તીસગઢ - ફરજિયાત સરકારી કોરન્ટાઈનમાં જવું પડશે
જમ્મૂ-કશ્મીર - રિપોર્ટ આવે ત્યાં સુધી કોરન્ટાઈન ફરજિયાત