દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે કેન્દ્રએ કહ્યું છે કે જ્યાં સંક્રમણ વધારે છે ત્યાં 14 દિવસનું કડક લોકડાઉન જાહેર કરવામાં આવે.
દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 2 કરોડને પાર
કોરોના સંક્રમણને કાબૂમાં લેવા કેન્દ્રએ આપી સલાહ
સંક્રમણ વધારે છે ત્યાં 14 દિવસનું કડક લોકડાઉન જાહેર કરાય
કોરોના વાયરસ મહામારીને ગતિને જોતાં કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે જે જિલ્લામાં સંક્રમણ વધારે છે ત્યાં 14 દિવસનું કડક લોકડાઉન લગાવવામાં આવે. સંક્રમણની કડીને તોડવામાં તેનાથી મદદ મળશે. આ નિયમ એ જગ્યાઓ માટે લાગૂ કરાશે જ્યાં 10 ટકાથી વધારે કેસ જોવા મળી રહ્યા છે. આ વિસ્તારોમાં સ્થાનિક રીતે લોકડાઉન જાહેર કરાશે. હાલમાં યૂપી સરકારે શુક્રવાર સાંજથી મંગળવાર સુધી લોકડાઉન જાહેર કર્યું હતું તેને વધારીને હવે 6 મેની સવારે 7 વાગ્યા સુધી લંબાવ્યું છે. તો ચંડીગઢમાં પણ 11 મે સુધી લોકડાઉન કાયમ રહેશે.
શું કહે છે સ્વાસ્થ્ય મંત્રાલય
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે સંક્રમણનો દર વધારે હોવાથી એક વિશેષ સ્થાન પર સૌથી વધારે દર્દી આવી રહ્યા છે. અહીં દર્દીની સંખ્યા વધારે છે તો સ્થાનિક લોકડાઉન લગાવી શકાય છે. કેન્દ્રએ રાજ્ય કે જિલ્લામાં લોકડાઉન લગાવવાની સિફારિશ કરી નથી.
250 જિલ્લામાં કોરોનાનું સંક્રમણ 10 ટકાથી વધુ
મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 250 જિલ્લામાં કોરોનાનું સંક્રમણ 10 ટકાથી વધારે છે. જો કે આ સ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. સરકારે રાજ્યોને કગ્યું કે નવી રીતે આ જિલ્લાની ઓળખ કરાય અને જે વિસ્તારો પ્રભાવિત છે ત્યાં લગભગ 14 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવે.
देश में 12 राज्य ऐसे हैं जहां 1 लाख से भी ज्यादा सक्रिय मामले हैं। 7 राज्यों में 50,000 से 1 लाख के बीच सक्रिय मामलों की संख्या बनी हुई है। 17 राज्य ऐसे हैं जहां 50,000 से भी कम सक्रिय मामलों की संख्या बनी हुई है: स्वास्थ्य मंत्रालय के संयुक्त सचिव लव अग्रवाल #COVID19pic.twitter.com/N7zNLhAwYp
મંત્રાલયે બીજી લહેરને નબળી પડવાની શરૂઆતનો સંકેત આપ્યો છે સંક્રમણ રેટમાં 22 રાજ્યોમાં 15 ટકાથી વધુ કેસ આવી રહ્યા છે. 9 રાજ્યોમાં સંક્રમણ રેટ 5-15 ટકા રહ્યો છે તો 5 રાજ્યોમાં તે ફક્ત 5 ટકાનો છે. 5 ટકા વાળા સંક્રમિત વિસ્તારો પર સરળતાથી નિયંત્રણ મેળવી શકાય છે.
દેશમાં સતત બીજા દિવસે ઘટ્યા નવા કેસ
દેશમાં શુક્રવારે સૌથી વધારે એટલે કે 4 લાખ કેસ આવ્યા હતા અને ગઈકાલે એટલે કે છેલ્લા 24 કલાકમા 3,55,680 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને સાથે 3436 લોકોના મોત થયા છે. કુલ મોતનો આંક પણ 2,22,383 સુધી પહોંચ્યો છે.
રોજના સંક્રમણનો દર 21.19 ટકા
હાલમાં દેશમાં કોરોનાથી સાજા થનારાનો દર 81.79 ટકા જોવા મળી રહ્યો છે.10 રાજ્યોમાં આ 73.49 ટકા દર્દીને હોસ્પિટલમાં મોકલી દેવાયા છે. દેશમાં પ્રતિદિન સંક્રમણનો રેટ 21.19 ટકા સુધી પહોંચી છે. એક દિવસમાં 74 ટકા કેસમાં 10 રાજ્યોમાં જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 56647 કેસ, કર્ણાટકમાં 37733 કેસ અને કેરળમાં 31959 કેસ જોવા મળી રહ્યા છે.