આઝાદીની 72મી વર્ષગાઠના એક દિવસ પહેલા મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. 14 ઓગસ્ટથી હવે ભારતમાં 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' તરીકે યાદ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આ વાતની જાહેરાત કરી કે લોકોના સંઘર્ષો અને બલિદાનની યાદમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવવામાં આવશે. સાથે જ પીએમ મોદીએ કહ્યું હતું કે ભાગલાના દર્દને પણ ક્યારેય ભુલી નહીં શકાય. જણાવી દઈએ કે ભારત કાલે એટલે કે રવિવારે પોતાનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવશે.
#PartitionHorrorsRemembranceDay का यह दिन हमें भेदभाव, वैमनस्य और दुर्भावना के जहर को खत्म करने के लिए न केवल प्रेरित करेगा, बल्कि इससे एकता, सामाजिक सद्भाव और मानवीय संवेदनाएं भी मजबूत होंगी।
ટ્વીટર પર કરી જાહેરાત
ટ્વીટર પર જાહેર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના ભાગલાના દર્દને પણ ક્યારેય નહીં ભુલી શકાય નફરત અને હિંસાના કારણે આપણી લાખો બહેનો અને ભાઈઓને વિસ્થાપિત થવું પડ્યું હતું અને પોતાનો જીવ પણ ગુમાવ્યો પડ્યો હતો. તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 ઓગસ્ટે 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દેશના ભાગલાનું દુઃખ નહીં ભૂલી શકાય
પીએમ મોદીએ કહ્યું કે દેશના ભાગલાનું દુઃખ ભુલી નહીં શકાય. નફરત અને હિંસાના કારણે આપણા લાખો ભાઈ-બહેનોને વિસ્થાપિત થવું પડ્યું અને પોતાના જીવ પણ ગુમાવવા પડ્યા હતા. તેજ લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 ઓગસ્ટે 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.