આતંકીઓની નાપાક હરકતો બાદ પશ્ચિમ બંગાળની સરકારે એલાન કર્યું હતું કે તેઓ જમ્મૂ કાશ્મીરમાં મજદૂરી કરી રહેવા દરેક કામદારોને ત્યાંથી પાછા લાવશે. આ દરેક કામદારો જમ્મૂ તાવી એક્સપ્રેસથી સોમવારે રાતે કોલકત્તા પહોંચ્યા. 138માંથી 133 કામદારો પશ્ચિમ બંગાળમાં રહેનારા હતા જ્યારે 5 કામદારો અસમના હતા.
જમ્મૂ તાવી એક્સપ્રેસથી આવ્યા કામદારો
જમ્મૂ-કાશ્મીરથી 138 કામદારો પાછા આવ્યા
આતંકીઓએ 5 કામદારોની કરી હતી હત્યા
West Bengal: 138 labourers who were in J&K have been brought back to Kolkata today in wake of a terror attack last month that killed 5 labourers from the state. Firhad Hakim,state Min,says,"WB Govt has brought them back. We have arranged buses which will take them to their homes" pic.twitter.com/1pRuFiXEtf
પશ્ચિમ બંગાળ સરકારે જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમા આતંકીઓના ભયમાં જીવનારા 138 કામદારોને પરત બોલાવી લીધા છે. આ મજૂરો સોમવારે શ્રીનગરથી કોલકાતા ટ્રેન દ્વારા પરત આવ્યા હતા. કાશ્મીરના કુલગામમાં આતંકીઓ દ્વારા 5 મજૂરોની ગોળીથી હત્યા કરવામાં આવી હતી. આ 5 મજૂરો પશ્ચિમ બંગાળના રહેવાસી હતા અને બાંધકામ સ્થળ પર કામ કરવા માટે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી જમ્મુ કાશ્મીરના કુલગામ આવ્યા હતા. આ 5 મજૂરોની હત્યા પછી, પશ્ચિમ બંગાળથી જમ્મુ-કાશ્મીર આવેલા કામદારોને જીવનું જોખમ હતું અને તેઓને જીવનો ડર હતો.
133 કામદારો બંગાળના, 5 અસમના રહેનારા
આતંકીઓની હરકત બાદ પશ્ચિમ બંગાળની સરકારે એલાન કર્યું કે તેઓ જમ્મૂ કાશ્મીરમાં મજદૂરી કરી રહેલા દરેક કામદારોને પાછા બોલાવી લેશે. આ તમામ કામદારો સોમવારે રાતે જમ્મૂ તાવી એક્સપ્રેસથી કોલકત્તા પહોંચ્યા હતા. 138માંથી 133 કામદારો પશ્ચિમ બંગાળમાં રહેનારા છે અને 5 અસમના નિવાસી છે. જમ્મૂ કાશ્મીરથી આવ્યા બાદ તેમના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.
સરકાર કરશે રોજગારીની વ્યવસ્થા
પત્રકારો સાથે વાત કરતા પશ્ચિમ બંગાળના શહેરી વિકાસ પ્રધાન ફિરહદ હકીમે કહ્યું કે તમામ મજૂરોને તેમના ઘરે મોકલવામાં આવશે. તેમણે કહ્યું, "અમે તેમને પાછા લાવ્યા છે, અમે તેમના માટે બસો ગોઠવી છે, જે તેમને તેમના ઘરે લઈ જશે." ફિરહદ હકીમે કહ્યું કે આ મજૂરોના પરિવારના સભ્યો ખૂબ ચિંતિત છે, તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર તેમને રોજગાર આપશે. ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓએ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બહલનગર ગામના 5 લોકોને કમરુદ્દીન શેખ, મુરસ્લિમ શેખ, રફીકુલ શેખ, રફીક શેખ અને નઇમુદ્દીન શેખની કુલગામ જિલ્લામાં ગોળી મારીને હત્યા કરી હતી. આ સમયે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 5 મજૂરોના સંબંધીઓને 5-5 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી.