કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાજ્યોની સ્કૂલોમાં શિક્ષણ વ્યવસ્થાનો પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ જાહેર કરાયો છે. જેમાં સુરતની 40 ખાનગી શાળાઓના 135 શિક્ષકો લાયકાત વિનાના મળી આવ્યા
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ જાહેર કરાયો
સુરત શહેરની 40 ખાનગી શાળામાં 135 શિક્ષકો લાયકાત વગરના
શાળાના ટ્રસ્ટીઓને 31 મે સુધીમાં આવા શિક્ષકોને દૂર કરવા સૂચન
લાયકાત વગરના શિક્ષકોને દૂર ન કરનાર શાળા સામે થશે કાર્યવાહી
શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓ પાસેથી માહિતી માગવામાં આવી
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાજ્યોની સ્કૂલો શિક્ષણ વ્યવસ્થા માટે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ જાહેર કર્યો હતો અને તેમાં રાજ્યને એ-પ્લસ ગ્રેડ અપાયો હતો, પરંતુ સુરતની 40 ખાનગી સ્કૂલોમાં 135 શિક્ષકો લાયકાત વિનાના મળી આવ્યા હતા. આ વિગતો બહાર આવતાંની સાથે જ તંત્રએ 40 ખાનગી સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓને આગામી 31મી મે સુધીમાં લાયકાત વિનાના 135 શિક્ષકોને દૂર કરવાનો આદેશ અપાયો છે.
લાયકાત વગરના શિક્ષકોને દૂર ન કરનાર શાળા સામે થશે કાર્યવાહી
બીજી તરફ સ્કૂલોના ટ્રસ્ટીઓને સૂચના અપાય છે કે આ મામલે સ્કૂલના ટ્રસ્ટીઓએ અગામી ત્રણ દિવસમાં બાંહેધરી પત્રક પણ જમા કરાવવાનું રહેશે. લાયકાત વિનાના શિક્ષકોને દૂર નહીં કરનારી ખાનગી સ્કૂલો સામે નોટીસ આપવાથી માંડી માન્યતા રદ કરવા સુધીમાં પગલા લેવાશે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણાધિકારીએ સ્કૂલો પાસેથી ઓનલાઈન મંગાવેલી માહિતીમાં લાયકાત વિનાની શિક્ષકો હોવાનું બહાર આવ્યુ હતું.
શાળાના ટ્રસ્ટીઓને 31 મે સુધીમાં આવા શિક્ષકોને દૂર કરવા સૂચન
સુરતમાં લાયકાત વિનાના 135 શિક્ષકો લાયકાત વગર બાળકોને ભણાવી રહ્યાં છે. તેવી ચોંકાવનારી વિગતો સામે સામે શિક્ષણ જગતમાં ભારે ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં સૌથી વધુ માઉન્ટ મેરી મિશન શાળામાં 20 શિક્ષકો લાયકાત વગર મળી આવ્યાં છે. તેમજ સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા વેડરોડમાં 16 શિક્ષકો અને પુણાગામની અક્ષયધામ હાઈસ્કુલમાં 11 શિક્ષકો ડ્રીગ્રી વગર મળી આવ્યાં છે. જો કે, લાયકાત વિનાના આ શિક્ષકોને દૂર નહીં કરનારી ખાનગી સ્કૂલો સામે નોટીસ આપવાથી માંડી માન્યતા રદ કરવા સુધીમાં પગલા લેવાશે.