રાજ્યમાં કમોસમી વરસાદની આફત વચ્ચે કોરોનાના કેસ પણ વધી રહ્યાં છે, આજે રાજ્યમાં કોરોનાના 133 નવા કેસ નોંધાયા છે જ્યારે 48 દર્દી સ્વસ્થ થયા છે.
ગુજરાતમાં આજે કોરોનાના 133 કેસ
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.08 ટકા
રાજ્યમાં આજે 48 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા
રાજ્યમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે જો કે, ગઈકાલ કરતાં આજે કેસમાં ઘટાડો થતાં થોડી રાહતની વાત છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓનો જોરદાર વધારો થઈ રહ્યો છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 133 પોઝીટિવ કેસ નોંધાયા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 19, 2023
અમદાવાદમાં 49 કેસ
રાજ્યમાં નવા 133 કોરોના કેસ નોંધાયા છે. તેમજ એક્ટિવ કેસ વધીને 740 પર પહોંચ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 70 નવા કેસ નોંધાયા છે જ્યારે મહેસાણામાં 16, રાજકોટમાં 11 કોરોના કેસ નોંધાયા છે અને સુરતમાં 10, વડોદરામાં 6, ભરૂચમાં 3 તેમજ વલસાડ, ભાવનગર, ગાંધીનગરમાં 3-3 કેસ નોંધાયા છે. પોરબંદરમાં 2, અમરેલીમાં 1 કોરોના કેસ અને ગીર સોમનાથ, જામનગર, મહીસાગરમાં 1-1 કેસ નોંધાયા છે. મોરબી અને સુરેન્દ્રનગરમાં 1-1 કોરોના કેસ નોંધાયા છે. જેમાં 5 દર્દી વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 294 લોકોએ કોરોના પ્રતિરોધક વેકસીન લીધી હોવાનું પણ સામે આવ્યું છે
48 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં આજે કોરોનાના 133 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.08 ટકા નોંધાયો છે. તેમજ આજે 48 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 740 કોરોનાના એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 48 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે 740 લોકોને રસી અપાઈ છે.
કોરોનાથી સજા થવાનો દર 99.11 ટકા
વિશ્વમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાતમાં કોરોનાથી સજા થવાનો દર 99.08 ટકા છે. અત્યાર સુધીમાં 12,66,929 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જોકે ચીન સહિતના દેશોમાં વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે ફરીવાર ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસ વધ્યા છે. પરંતું હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે.
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન
કોરોનાનાં વધતાં મામલાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગુજરાત અને તેલંગાણાનાં મુખ્ય સચિવને ચિઠ્ઠી લખીને જરૂરી સાવચેતી અને કોવીડ વિરોધી ગાઈડલાઈનનું પાલન કરવાની સલાહ આપી છે.
6 રાજ્યોને આપ્યો આદેશ
સ્વાસ્થ્ય મંત્રાલયનાં ગાઈડલાઈન અનુસાર ટેસ્ટ કરાવવું, કોરોનાનાં કેસને સતત મોનિટર કરવું, નવા ફ્લૂ, વાયરસ કે ઈન્ફ્સૂએંઝાની મોનિટરિંગ, જીનોમ સીકેંસિંગ અને કોવિડ અનૂકુળ વ્યવહાર અને કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. આ રાજ્યોમાં કોરોનાનાં કેસો વધી રહ્યાં છે. જેના કારણે વાયરસ ફેલાવાનો રિસ્ક પણ વધી રહ્યો છે. ઈન્ફેક્શનને ફેલાતો અટકાવા માટે આ રાજ્યોમાં કોરોના ગાઈડલાઈન્સ ફોલો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.