યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે ખુદ રશિયા પણ હવે આગળ આવ્યું છે. કારણ કે, રશિયા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ માટે 130 બસો તૈયાર કરવામાં આવી છે.
રશિયા યુક્રેનના ખારકિવ અને સુમી પ્રદેશમાં બચાવ કામગીરી હાથ ધરશે
રેસ્ક્યુ કરીને લાવેલા લોકોને વિમાન દ્વારા રશિયા મોકલશે તેમના દેશમાં
130 બસો દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેન બોર્ડ પાર કરાવવામાં આવશે
130 બસો દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેન બોર્ડ પાર કરાવવામાં આવશે. તેઓને રશિયાના બેલગોરોડ ખાતે લાવવામાં આવશે. રશિયન નેશનલ ડિફેન્સ કંટ્રોલ સેન્ટરના વડા કર્નલ જનરલ મિખાઇલ મિજિટ્સેવએ જણાવ્યું હતું કે, '130 બસોના માધ્યમથી ભારતીય અને અન્ય વિદેશી વિદ્યાર્થીઓને ખારકિવ અને સુમીથી બહાર નીકાળીને રશિયા લાવવામાં આવશે.'
रूसी राष्ट्रीय रक्षा नियंत्रण केंद्र के प्रमुख कर्नल जनरल मिखाइल मिज़िंटसेव ने गुरुवार को घोषणा की कि 130 रूसी बसें भारतीय छात्रों और अन्य विदेशियों को यूक्रेन के खार्किव और सूमी से रूस के बेलगोरोड क्षेत्र में निकालने के लिए तैयार हैं: रूस की समाचार एजेंसी TASS
યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને નીકાળવા માટે ભારત સરકાર તરફથી ઓપરેશન ગંગા ચલાવવામાં આવ્યું છે. તે અંતર્ગત ભારત સરકાર અનેક દેશો સાથે સંપર્ક સાધી રહી છે. આ જ ક્રમમાં ભારતે રશિયન દૂતાવાસનો પણ સંપર્ક સાધ્યો છે. ભારતમાં રશિયન રાજદૂત ડેનિસ અલીપોવએ આ અંગેની પુષ્ટિ કરી હતી. અલીપોવએ જણાવ્યું હતું કે, અમે ખારકિવ અને પૂર્વી યુક્રેનના અન્ય ક્ષેત્રોમાં ફસાયેલા ભારતીયો માટે અધિકારીઓના સંપર્કમાં છે. અમને ભારત તરફથી રશિયાના પ્રદેશ દ્વારા ત્યાં ફસાયેલા તમામ લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાની વિનંતીઓ પ્રાપ્ત થઇ છે.
પુતિને કર્યો મોટો ખુલાસો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, યુક્રેને લગભગ 3,000 ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવ્યા છે. અમે ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે અમારા સંપૂર્ણ પ્રયાસો કરીશું. રશિયન સૈન્ય તરફથી રહેણાંક વિસ્તારોમાં હુમલા નથી કરવામાં આવી રહ્યાં. યુક્રેને આ વિસ્તારોમાં સૈનિકો અને ટેન્ક તૈનાત કરી દીધી છે. પુતિને કહ્યું કે, યુક્રેનની સેના વિદેશીઓને જવા નથી દેતી. રશિયન સૈનિકોએ બંધકોને મુક્ત કર્યા છે.
ભારત આ સંકટની ઊંડાઈને સમજે છે: રશિયન રાજદૂત
અગાઉ ડેનિસ અલીપોવએ કહ્યું હતું કે, અમે ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદાર છીએ. સંયુક્ત રાષ્ટ્રમાં પ્રદર્શિત સંતુલિત સ્થિતિ માટે અમે ભારતના આભારી છીએ. ભારત આ સંકટની ઊંડાઈને સમજે છે.