જેતપુરમાં વધતા પ્રદુષણને લઇ NGTએ કાયર્વાહી હાથ ધરી છે. 130 જેટલા કારખાનાઓને પ્રદુષણ માટે નોટિસ આપવામાં આવી છે. ડેપ્યુટી કલેકટર દ્વારા તમામ કારખાનાઓને નોટિસ આપવામાં આવી છે. પ્રદુષણ કરતા કારખાનાઓને કંપનસેશન અને દંડ સહીતની કાર્યવાહી કરવામાં આવી છે. કારખાનેદારો નિયમોને અમલ ન કરે તેને સીલ મારવાની કાયર્વાહી કરવામાં આવશે. કારખાનાઓ બંધ થાય તો 50 હજાર જેટલા કારીગરો બેકાર થશે.
જેતપુરમાં વધતા પ્રદુષણને લઇ NGTની કાયર્વાહી
130 જેટલા કારખાનાઓને પ્રદુષણ માટે નોટિસ
કારખાનેદારો નિયમોને અમલ ન કરે તો સીલ મારવાની કાયર્વાહી કરાશે
કારખાનાઓ બંધ થાય તો 50 હજાર જેટલા કારીગરો થશે બેકાર
પોલ્યૂશન કંટ્રોલ કરવા માટે દેશ ની સર્વોચ્ચ સંસ્થા NGT મોખરે છે, વિશ્વભર માં સાડી અને કોટન પ્રિન્ટિંગ માં નામના ધરાવનાર જેતપુર માં કલર અને કેમિકલ નું પ્રદુશન ચરમસીમા ઉપર છે ત્યારે NGT એ આ પ્રદુશનને રોકવા માટે કરમ કસી છે.
જેતપુરના આ 130 જેટલા કારખાનાઓને પ્રદુષણ ફેલાવા માટે નોટિસ બજાવી હતી. અને તેના માટે 90 દિવસનો સમય આપ્યો હતો. જે મુજબ NGTના આદેશ અનુસાર ડેપ્યુટી કલેકટર દ્વારા આ નોટિસ અંતર્ગત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તમામ 130 જેટલા કારખાનાઓ ઉપર પ્રદુષણ ફેલાવવા માટે કંપનસેશન અને દંડ સહિતની કાર્યવાહીની શરૂ કરવામા આવી હતી. જે મુજબ આ તમામ પ્રદુષણ ફેલાવતા 130 કારખાના માલિકોને ડેપ્યુટી કલેકટર દ્વારા કેસને સાભળવામાં આવ્યા હતા અને આગળ 15 દિવસ સમય દેવામાં આવ્યો છે. 130 જેટલા કારખાનાઓમાં 50 કારખાનાઓને પહેલાથીજ ક્લોઝર હતું અને તેની સમીક્ષા બાદ ક્લોઝર રેવૉકેશન કરવામાં આવેલ હતું, અને આ કારખાના ફરી ચાલુ છે, જો આ કારખાનાઓને ફરીથી ક્લોઝર આપવામાં આવે તો અંદાજિત 50 હજાર જેટલા કારીગરો આ ધંધા સાથે જોડાયેલ છે તેવો બેકાર થવાની શક્યતા છે.