ઉત્તરપ્રદેશ અને ગુડગાંવ તથા દિલ્હીના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે 13 લોકોના મૃત્યુ થયા છે. સાથે સ્કૂલો તથા ઓફિસો બંધ રાખવામાં આવી છે.
યૂપીમાં વરસાદ ત્રાટક્યો
13 લોકોનાં મોત
સ્કૂલ, ઓફિસો બંધ, રસ્તાઓ જામ
ઉત્તરપ્રદેશ અને ગુડગાંવનાં ઓછામાં ઓછા 10 જીલ્લાઓમાં આજે સ્કૂલ બંધ છે, જ્યારે કાલે સતત વરસાદ બાદ પ્રાઈવેટ અને કોર્પોરેટ ઓફિસોમાં ઘરથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીના અમુક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે.
Uttar Pradesh | District administration provided immediate help & relief to the people affected by heavy rains. 13 people died due to heavy rain while 3 died due to lightning. 10 people died due to the wall collapse in Etawah: Sudhir Garg, Principal Secretary, Revenue Department pic.twitter.com/PjJelTxF0r
Uttar Pradesh | Waterlogging at several places in Aligarh after heavy rains lashed the city. The DM has ordered schools to be closed for two days in view of the rainfall on Sept 23-24 (22.09) pic.twitter.com/xKTtgHkoPe
ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઘર પડવા અને વીજળી પડવાની ઘટનાઓમાં 13 લોકોના મૃત્યુ થયા છેઅને 11 લોકો ઘાયલ થયા છે. વરસાદને કારણે ફિરોઝાબાદમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જયારે અલીગઢમાં સ્કૂલો બંધ કરવી પડી છે.
વરસાદને કારણે 10 જિલ્લાઓમાં સરકારી સ્કૂલો આજે બંધ રહેશે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી બાદ આ આદેશ આપવામાં આવ્યો છે.
ભારત હવામાન વિભાગે 'યેલો એલર્ટ' જાહેર કર્યું છે અને અમુક સ્થાનો પર ભારે વરસાદને લઈને ચેતવણી આપવામાં આવી છે. વરસાદને કારણે કેબ અને રીક્ષાનાં ભાડામાં પણ વધારો આવ્યો છે.
દિલ્હી નગર નિગમને વરસાદને કારણે ફતેહપુર બેરી, સંગમ વિહાર અને ટીકરી ગામમાં જળ ભર્યા હોવાની ફરિયાદ મળી છે અને વૃક્ષો પણ ઉખડી ગયા હોવાની સાત ફરિયાદ આવી છે.
દિલ્હી ટ્રાફિક પોલીસ હેલ્પલાઇનને ટ્રાફિક જામ સંબંધિત 23, પાણી ભરાવાને લગતા સાત અને વૃક્ષો ઉખડવાને લગતા બે કોલ મળ્યા હતા.
દિલ્હી આવનાર વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ઘણી જગ્યાઓ પર પાણી જમા થઈ જાવાને કારણે ઘણા વાહનો પણ બંધ પડી ગયા અને જ્યાર બાદ ટ્રાફિક પોલીસે મદદ કરી હતી.
હરિયાણાના ગુરુગ્રામમાં ભારે વરસાદ બાદ ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા. પોલીસ કર્મચારીઓ જામ હટાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. ગુરુગ્રામમાં વહીવટીતંત્રે તમામ પ્રાઈવેટ કંપનીઓને શુક્રવારે ઘરેથી કામ લાગુ કરવાની સલાહ આપી છે.
ગુરુગ્રામ પ્રશાસને સામાન્ય નાગરિકો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. જળ ભરાઈ જવા જેવી સ્થિતિથી નીપટવા માટે આ નંબર્સ જાહેર કરવામાં આવ્યા છે.
જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર ગુરુગ્રામમાં ગુરુવારે 54 મીમી વરસાદ નોંધાયો છે જ્યારે વઝિરાબાદમાં 60 મીમી વરસાદ નોંધાયો છે. સાંજે 5 વાગ્યા સુધી માનેસરમાં 50 મીમી, સોહનામાં 43 મીમી, હરસરમાં 54 મીમી, બાદશાહપુરમાં 30 મીમી, પટૌડીમાં 20 મીમી અને ફારુખનગરમાં 29 મીમી વરસાદ નોંધાયો હતો.
નોઇડાનાં ઘણા વિસ્તારોમાં વરસાદથી લાંબો જામ લાગ્યો હતો. નોઇડા - ગ્રેટર નોઇડાનાં ડીએમએ ક્લાસ 1થી આઠમાં સુધીનાં વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બંધનો આદેશ જાહેર કર્યો છે.
ગાઝીયાબાદમાં પણ સ્કૂલ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને વરસાદનાં કારણે ગુરુગ્રામમાં પણ સ્કૂલ બંધ રહેશે.
ફરીદાબાદમાં પણ વરસાદ આફત સાબિત થયો છે. લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.