કર્ણાટકમાં એક વિચીત્ર કેસ સામે આવ્યો. આ કેસમાં 13 વર્ષના બાળકનું મગજ કોરોનાથી સાજા થયા બાદ બંધ થઈ ગયું. જેના કારણે ડૉક્ટરો પણ સ્તબ્ઘ ગયા છે
કોરોનાથી સાજા થયા બાદ બાળકનું મગજ બંધ
8 દિવસથી બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ
બિમારીના ઈલાજનો ખર્ચ ઘણો મોંઘો
જીવલેણ કોરોના વાયરસ હવે આપણા માટે એક ચિંતાનો વિષય બન્યો છે. કર્ણાટકમાં 13 વર્ષનો બાળક કોરોના સંક્રમણનો ભોગ બન્યો હતો. જોકે તેણે કોરોનાને મ્હાત તો આપી. પરંતુ સાજા થયા બાદ તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. જેના કારણે છેલ્લા કેટલાય સલયથી તે બાળક વેન્ટીલેટર પર છે.
લોકોમાં ભયનો માહોલ
કોરોના સંક્રમણુને લઈને ભારતમાં ઘણા લોકોને પોતાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હજુ પણ સંક્રમણ પૂરી રીતે નાબૂદ નથી થયું. આ જીવલેણ વાયરસ સતત તેનો રંગ બદલી રહ્યો જેમા નવા નવા વેરિએંટના રૂપમાં તે લોકોમાં ભય પેદા કરી રહ્યો છે. જોકે આ બધાની વચ્ચે કર્ણાટકમાંથી જે સમાચાર સામે આવ્યા છે. તે ઘણાજ ભયાનક છે.
કોરોનાથી સાજા થયા બાદ બાળકનું મગજ બંધ
કર્ણાટકના દેવાગંરે જિલ્લામાંથી આ બનાવ સામે આવ્યો છે. જ્યા એક 13 વર્ષના બાળકનું મગજ કોરોનાથી સાજા થયા બાદ બંધ થઈ ગયુ છે. જોકે આ પહેલા પણ આવો કેસ બની ચૂક્યો છે. ડૉક્ટરોનું કહેવું છે કે બાળક ને એનસૈફૈલોપેથી ઓફ ચાઈલસ્ડહુડ નામની બિમારી થઈ છે. જે બિમારીમાં મગજ પર ગંભીર અસર થાય છે. જેના કારણે છેલ્લા 8 દિવસથી બાળકને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.
ત્રણ દિવસ બાળકને વેન્ટિલેટર રાખવામાં આવ્યો
એસએસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરનમાં ડાયરેક્ટર કલાપનાવરનું કહેવું છે કે બાળકના મગજની તપાસ કરવામાં આવી ત્યારે તેનું મનગજ કામ કરતું બંધ થઈ ગયું છે તેવી માહિતી સામે આવીૉ. જેથી તેને શરૂઆતના ત્રણ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો. તેની તબિયતમાં સુધારો દેખાયો તો વેન્ટિલેટર પછી હટાવામાં આવ્યું હતું.
ઈલાજનો ખર્ચ ઘણો મોંઘો
ડાયરેક્ટર કલાપનાવરનું કહેવું છે કે બાળકને હજું પણ ઈલાજની જરૂર છે. જ્યા સુધી તે ઠીક નહી થાય ત્યા સુધી તેમને ખ્યાલ નહી આવે કે તેનું મગજ કેટલું પ્રભાવિત થયું છે. પરંતુ ઉલ્લેખનીય કે આ બિમારીનો ઈલાજ ઘણોજ મોંઘો છે. હાલ બાળકને જે ઈન્જેકશન આપવામાં આવી રહ્યા છે, તે ઈન્જેકશનની કિંમત 75 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીની છે