કોરોના વાયરસે વિશ્વભરમાં કોહરામ મચાવી દીધો છે. જે ઝડપથી કોરોના વયારસનાં કેસ વધી રહ્યા છે તેને જોઇને વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો થયો છે. ભારતમાં કોરોના વાયરસનાં પોઝિટિવ કેસ 600ની નજીક છે. કોરોના વાયરસનું ટ્રાન્સફર ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે હાલમાં કોરોના વાયરસ બીજા અને ત્રીજા સ્ટેજની વચ્ચે છે. હાલમાં જ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં કોરોના વાયરસનાં કુલ 13 લાખ પોઝિટિવ કેસ નોંધાઈ શકે છે.
કોરોના વાયરસને લઈને ભયજનક અહેવાલ સામે આવ્યો
ભારતમાં અમેરિકાની પેટર્નથી ફેલાઈ રહ્યો છે કોરોના
ભારતમાં ટેસ્ટિંગ રેટ ખૂબ જ ઓછો
ન્યૂઝ એજેન્સી IANSનાં અહેવાલ મુજબ ભારતમાં ભારતમાં ટેસ્ટીંગ રેટ ખૂબ ઓછો છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે લોકો ટેસ્ટ માટે સામે આવી રહ્યા નથી. કોરોના વાયરસ મુદ્દે સંશોધન કરતા COV-IND-19 ગ્રુપે આ દાવો કર્યો છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારત કોરોના વાયરસનાં બીજા અને ત્રીજા સ્ટેજમાં પ્રવેશ કરી રહ્યું છે જે ખૂબ વિનાશકારી પરિણામ આપશે. ભારતનું હેલ્થ કેર સીસ્ટમ પહેલાં જ દબાણમાં છે ત્યારે આ પરિસ્થિતિ દેશ માટે અત્યંત ભયંકર રૂપ લેશે. નોંધનીય છે કે કોરોના વાયરસની કોઈ રસી કે દવાની શોધ થઇ નથી. ઈટાલી અને અમેરિકામાં આ જ પરિસ્થિતિ જોવા મળી હતી અને બાદમાં અચાનક જ કેસની સંખ્યામાં ખૂબ ઉછાળો જોવા મળ્યો હતો.
આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોના વાયરસ અમેરિકાની પેટર્ન મુજબ ફેલાઈ રહ્યો છે. જ્યારે અમેરિકામાં આ મહામારી ઈટાલીનાં પેટર્નને 11 દિવસનાં અંતરથી ફોલો કરી રહ્યો છે.
ભારતમાં હેલ્થ સીસ્ટમને જોતા લાગે છે કે કોરોના વાયરસ જો કોમ્યુનિટીમાં ફેલાય તો લોકોને સારવાર આપવી ખૂબ મુશ્કેલ થશે. ભારતમાં 1000 લોકોએ બેડની સંખ્યા 0.7 છે જ્યાં ફ્રાંસમાં તે 6.5, ચીનમાં 4.2, અમેરિકામાં 2.8 જયારે સાઉથ કોરિયામાં 11.5 છે.
જો ટેસ્ટીંગની સરખામણીને જોઈએ તો ખૂબ ઓછી વસ્તી ધરાવતા સાઉથ કોરિયામાં અત્યાર સુધી 2 લાખ 70 હજાર વ્યક્તિઓની ટેસ્ટીંગ કરવામાં આવી છે જ્યારે ભારતમાં 18 માર્ચ સુધી 12 હજાર લોકોની જ ટેસ્ટિંગ કરવામાં આવી છે.