ખંભાતની જો વાત કરીએ તો શહેરમાં સવારથી જ મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી દીધી છે. સવારથી જ સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે શહેર જાણે કે નદીમાં ફેરવાયું હોય તેવું લાગી રહ્યું છે.
હાલમાં ચોમાસાની ઋતુને લઇ સમગ્ર રાજ્યમાં વરસાદી (rain) માહોલ છવાઇ ગયો છે. ત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે. સુરતના ઓલપાડમાં 8 કલાકમાં 12 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ઉમરપાડામાં 9 ઇંચ અને કામરેજમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. તો આણંદના ખંભાતમાં 9 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ધરમપુર, વઘઇ અને હાંસોટમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. તો વાપી, માંગરોળ અને સુરત શહેરમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વાંસદા, કપડવંજ અને પારડીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.
ખંભાતની (khambhat) જો વાત કરીએ તો શહેરમાં સવારથી જ મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી દીધી છે. સવારથી જ સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે શહેર જાણે કે નદીમાં ફેરવાયું હોય તેવું લાગી રહ્યું છે. બપોરના 12થી 3 સુધીમાં સવા નવ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને આખા દિવસ દરમિયાનની જો વાત કરીએ તો 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેને ધ્યાનમાં રાખતા તંત્ર હાઇ એલર્ટ પર આવી ગયું છે.
આ પગલે સાલવા, જહાંગીરપુર, રબાડીવાડ, મોચીવાડ અને બાવા બાજીસા સહિતના ઘણાં ખરા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદના પગલે નગરજનોને ઘરમાં જ રહેવું પડે તેવું હાલત થઇ ગઇ છે. મેઘરાજાની આવી ધમાકેદાર પધરામણી જોઇને લાગે છે કે જાણે ઇન્દ્રદેવે ઋતુમાં વરસાદની ખોટ ભાગી નાંખી છે. જો કે ખંભાતમાં 13 ઇંચ વરસાદે નગરજનોને જાણે કે વડોદરાવાળી ના થઇ જાય તે રીતે ચિંતામાં મૂકી દીધાં છે અને ઉપરાંત તંત્ર પણ એલર્ટ છે. શહેરમાં ભારે વરસાદને કારણે દરિયાના મોજાના પાણી પોળ અને રસ્તાઓ પરથી વહેતા જોવા મળી રહ્યાં છે. ઉપરાંત દુકાનો અને ઘરોમાં પણ પાણી ઘુસી ગયા છે.
ઉલ્લેખનીય છે કે વરસાદે છેલ્લાં ત્રણ ચાર દિવસથી તો વડોદરામાં તો જળતાંડવ મચાવી દીધું છે. ત્યારે બાદમાં રાજકોટ અને હવે સુરત, વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોને હલબલાવી મૂક્યાં છે. ઓલપાડ અને ખંભાતમાં મુશળધાર વરસાદથી ભારે જનજીવન પ્રભાવિત થઇ ગયું છે. ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થઇ ગયું છે અને વડોદરામાંથી NDRFની એક ટીમ સુરતમાં મોકલી દેવામાં આવી છે.
ભારે વરસાદ થતા ઓલપાડના GIDC વિસ્તારમાં પાણી ભરાયા છે. GIDCના શોપિંગ સેન્ટરોના ગ્રાઉન્ડફ્લોરમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જ્યારે દુકાનોમાં પાણી ઘુસતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. સુરતના ઓલપાડના હથિસા રોડ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. કોંગ્રેસના નેતા દર્શન નાયક ઓલપાડ પહોચ્યા છે.
ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ઝીંગા તળાવના બાંધકામોથી લોકો હેરાન થઇ ગયા છે. હાલમાં વેપારીઓ દુકાનમાં મુકવામાં આવેલ માલ સામાનને બચાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. દુકાનની અંદર પાણી ઘુસતા તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. ત્યારે ખંભાતમાં 9 કલાકમાં 13 ઇંચ વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.