બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / ગુજરાત / સુરત / 13 gates of Ukai Dam opened 10 villages cut off as water level reaches dangerous level
Kishor
Last Updated: 04:07 PM, 18 September 2022
ચાલુ સાલ ગુજરાતમાં સર્વત્રીક વરસાદને લઇને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં જળપ્રવાહમાં વધારો થયો છે. જેને લઇને ખેડૂતો તથા વહીવટીતંત્રને હાશકારો થયો છે. ત્યારે સુરતમાં પુરતા વરસાદને લઇને સુરત જિલ્લાના ઉકાઈ ડેમની જળ સપાટીમાં પણ વધારો નોંધાયો છે. હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 342.28 ફૂટે પહોંચી છે. જયારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ ગણવામાં આવી રહી છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટીથી પાણી માત્ર બે ફૂટ જેટલું જ દૂર હોવાથી વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે અને ચાપતી નજર રાખી રહ્યું છે તથા ડેમમાંથી પાણી છોડવા નિર્ણય કરવામાં આવ્યો છે.
પાણી છોડતા હરિપુરા કોઝ-વે પાણીમાં ગરકાવ
તાજેતરમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઇને ઉકાઇ ડેમમાં નવા નીરની આવક થઇ છે. હાલ ઉકાઈ ડેમમાં 1 લાખ 42 હજાર 233 ક્યુસેક પાણીની આવક થઇ હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. બીજી તરફ પાણીની આવક વધતાં ડેમના 13 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે. કિનારાના નીંચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરી પાણી છોડવામાં આવતા તાપી નદીની જળ સપાટીમાં વધારો થતાં બારડોલી તાલુકાના કડોદ નજીક તાપી નદી ઉપર આવેલ હરિપુરા કોઝવે ફરી એકવાર પાણીમાં ગરક થયો હતો.
10થી વધુ ગામો થયા સંપર્ક વિહોણા
પાણીના પ્રવાહને લઇને કોઝવે બંધ કરી દેવામાં આવ્યો હતો. આથી કોસાડી, ઉન, ખંજરોલી, ઉમરસાડી, ગવાછી, ગોદાવાડી, ખરોલી સહિતના 10 ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. જેમાં ખાસ દરરોજ આવાગમન કરતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વધુમાં લોકો સમય અને નાણાનો વ્યય કરી લાખ ચોર્યાસીનો ફેરો ફરી પોતાના ઘરે અને ઓફિસ પહોંચવા મજબૂર બન્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News