લખનૌઃ ઉત્તરપ્રદેશના કુશીનગરમાં આજે સવારે ટ્રેન અને સ્કૂલ વાન વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં 13 બાળકોના મોત થયા હતા. જ્યારે 7 બાળકો ગંભીર છે. જેના પગલે યુપીના સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું અને તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં સીએમ યોગી વિરૂદ્ધ લોકોએ સુત્રોચ્ચાર કર્યા હતા.
સીએમ યોગીએ કહ્યું કે આજે જે દુઃખદ ઘટના બની છે તે અંગે રેલ્વેમંત્રી સાથે વાત થઈ છે. તો મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારને 2-2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. કુશીનગરની ડીવાઈન મિશન સ્કૂલની વાન સવારે 22 બાળકોને લઈને સ્કૂલ જતી હતી તે સમયે માનવ રહિત ક્રોસિંગ પર આ અકસ્માત સર્જાયો હતો.