શાળાઓ પરિણામ જોશે, બાદમાં વિદ્યાર્થીને જાણ કરશે
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 31 જુલાઈએ જાહેર થવા જઇ રહ્યું છે.. પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર મૂકવામાં આવશે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાના પરિણામ ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગ-ઇન કરી શકશે તેની કોપી પણ કરી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેમના પરિણામની કોપી આપીને એની જાણ કરવાની રહેશે.
તમામ વિદ્યાર્થીઓને અપાયું છે માસ પ્રમોશન
ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. એવામાં પહેલીવાર ધો. 12 બોર્ડમાં સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સાથે 100 ટકા પરિણામ જાહેર કરાશે.
વિદ્યાર્થીઓની માગણી, માગણી જ રહી..!
કોમર્સમાં અકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનો વિષય એ ગણિતનો વિષય છે અને ધોરણ-10નું ગણિત એનો પાયો છે તેથી એને ગણતરીમાં લેવા જોઇએ. ધોરણ 10ના ગણિતના માર્ક ગણતરીમાં નહીં લેવાય તો વિદ્યાર્થીઓનું 8થી 10 ટકા જેટલું પરિણામ નીચું જઇ શકે છે. બોર્ડે જાહેર કરેલા આ પરિપત્રને હાઇકોર્ટમાં પડકારાયો હતો અને કોર બાદમાં અરજી ફગાવી દેતાં, ધો. 10ના ગણિતના માર્ક ધો.12 સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્રમાં ઉમેરવાનો નિયમ સરકારે રદ્દ કર્યો હતો.
ધોરણ 12ની માર્કશીટમાં મૂલ્યાંકન કેવું હોઇ શકે? 1
ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના 70માંથી 49 માર્ક આવ્યા હોય તો ધોરણ-12ની માર્કશીટમાં ગુણભાર મુજબ તેને 50માંથી 35 માર્ક મળશે 2
ધોરણ-11ની પ્રથમ કસોટીમાં 50 માર્કમાંથી 38 માર્ક આવ્યા હોય, બીજી કસોટીમાં 50માંથી 42 આવ્યા હોય, આમ કુલ 100માંથી 80ની સરેરાશ કરતાં 40 માર્ક થાય અને જેના 50 ટકા કરીએ તો 12માંની માર્કશીટમાં 25માંથી 20 માર્ક લખાશે. 3
ધોરણ 12ના જે-તે વિષયની પ્રથમ સામયિક કસોટીમાં 100 માર્કમાંથી 80 માર્ક આવ્યા હોય અને વર્ષ દરમિયાનની એકમ કસોટીમાં 25માંથી 20 માર્ક આવ્યા હોય તો 125માંથી 100 માર્ક મેળવેલા ગણાય, જેના 20 ટકા કરતાં 20 માર્ક થાય, જે 25 માર્કમાંથી મેળવેલા ગણાય.
જોવા જઈએ તો 50માંથી 35, 25માંથી 20 આમ, 25 માંથી 20 માર્ક, કુલ 100માંથી 75 માર્કની ગણતરી પ્રમાણે આવતીકાલે વિદ્યાર્થીના પરિણામ જાહેર કરવામાં આવશે