ધો-12ના સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટર વિષયનું પેપર વાયરલ
પરીક્ષા પૂર્ણ થતા પહેલા પેપર વાયરલ થયાનો યુવરાજસિંહનો દાવો
પેપર સાચું છે કે ખોટું તે અંગે VTV નથી કરતું પુષ્ટી
રાજ્યમાં વધુ એકવાર પેપર લિકની ઘટના બની છે?. ધોરણ-12ના સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટર વિષયનું પેપર વાયરલ થયો હોવની ચર્ચા સામે આવી છે. પરીક્ષા પૂર્ણ થતા પહેલા પેપર વાયરલ થયાનો યુવરાજસિંહએ દાવો કર્યો છે.
વાયરલ પેપર અંગે VTV પુષ્ટી નથી કરતું
યુવરાજસિંહ પેપર લિકને લઈ દાવો કરી રહ્યાં છે કે, પરીક્ષા પહેલા જ ધોરણ 12ના સામાન્ય પ્રવાહનો કોમ્પ્યુટર વિષયનો પેપર લિક થયો છે. તમને જણાવી દઈએ કે, આજે બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 વાગ્યા સુધી પરીક્ષા યોજાઈ છે. આ વાયરલ પેપર અંગે VTV પુષ્ટી કરતું નથી. પેપર વાયરલની ચર્ચાને લઈ વાલીઓમાં ચિંતા વ્યાપી છે.
આજરોજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માં ""#કોમ્પ્યુટર_વિષય"" ની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે.
મારા વોટ્સ એપ નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા આ #પેપરલીક થયાની માહિતી પોહચાડવા માં આવેલ છે.
પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટિ હું કરતો નથી.
વર્તમાન સમય દરમિયાન પેપર શરૂ છે👉૩ થી ૬:૧૫ pic.twitter.com/PstcxW3Ead
યુવરાજસિંહ ટ્વીટમાં જણાવ્યું છે કે, આજરોજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં કોમ્પ્યુટર વિષયની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે. વધુમાં લખ્યું કે, મારા વોટ્સ એપ નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા આ પેપરલિક થયાની માહિતી પોહચાડવામાં આવેલી છે. પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટિ હું કરતો નથી તેમજ વર્તમાન સમય દરમિયાન પેપર શરૂ છે ૩ થી ૬:૧૫.