બનાસકાંઠામાં 125 ગામની મહિલા ખેડૂતોએ PMને પોસ્ટકાર્ડ લખીને કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવા અંગેની રજૂઆત કરાઇ છે.
બનાસકાંઠામાં પાણી માટે પોસ્ટકાર્ડ આંદોલન
125 ગામની મહિલા ખેડૂતોએ PMને લખ્યા પોસ્ટકાર્ડ
કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવા રજૂઆત
બનાસકાંઠામાં પાણી માટે વલખાં મારતી મહિલા ખેડૂતો પોસ્ટકાર્ડ આંદોલન ચલાવશે. 125 ગામની મહિલા ખેડૂતોએ PMને પોસ્ટકાર્ડ લખ્યા છે. PMને પોસ્ટકાર્ડ લખી પાણી માટેની માંગ કરાઇ છે. મહિલા ખેડૂતો દ્વારા કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવા અંગેની રજૂઆત કરવામાં આવી છે. મહિલાઓ દ્વારા પાણી માટે 'પોસ્ટકાર્ડ આંદોલન' ચલાવવામાં આવ્યું છે.
125 ગામની મહિલા ખેડૂતોએ PMને લખ્યા પોસ્ટકાર્ડ
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના વડગામ (Vadgam) નું કરમાવાદ તળાવ (KARMAVAD LAKE) અને મુક્તેશ્વર ડેમ (Mukteshwar Dam) ભરવાની માંગ સાથે છેડાયેલું જળ આંદોલન દિવસે ને દિવસે વધારે ઉગ્ર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ મહારેલી યોજાઇ ત્યાર બાદ ગામેગામ મહાઆરતી કરાઇ. ત્યાર બાદ પણ સરકાર દ્વારા તેમની માંગ ન સ્વીકારાતા 125 ગામની હજારો બહેનોએ PM મોદી (PM Narendra Modi) ને પત્ર લખીને પોસ્ટકાર્ડ મોકલ્યા.
કરમાવાદ તળાવ-મુક્તેશ્વર ડેમમાં પાણી છોડવા સરકારને કરાઇ છે વારંવાર રજૂઆત
તમને જણાવી દઇએ કે, બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદના કારણે ભૂગર્ભ જળ ઊંડા ગયા છે. તો બીજી તરફ વડગામનું કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમ પણ તળિયા ઝાટક થતા વિસ્તારના ખેડૂતો સિંચાઈ માટેના પાણી માટે બૂમબરાડા કરી રહ્યાં છે. મહત્ત્વની વાત એ છે કે, આ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી પહોંચાડવા કોઈ કેનાલ કે અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને ભારે તકલીફ પડી રહી છે. જો કે સ્થાનિકો દ્વારા કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી છોડવા સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તેઓની માંગ ન સ્વીકારાતા છેલ્લાં કેટલાંક દિવસોથી આ વિસ્તારના લોકો દ્વારા જળ આંદોલન છેડાયું છે.
પહેલાં 125 ગામોના હજારો ખેડૂતોએ એકઠાં થઈને મહારેલી યોજી હતી
ઉલ્લેખનીય છે કે, સૌપ્રથમ વિસ્તારના 125 ગામોના હજારો ખેડૂતોએ એકઠાં થઈને મહારેલી યોજી હતી. જે પાલનપુરની આદર્શ સ્કૂલથી લઇને છેક જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને બાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તેની રજૂઆત કરાઇ હતી. જો કે ત્યાર બાદ પણ સ્થાનિકોની માંગનું નિરાકરણ ના આવતા 125 ગામોના લોકોએ ગામેગામ એકઠાં થઈ મહાઆરતી કરી હતી. ત્યાર બાદ પણ કોઈ નિવેડો ના આવતા આખરે આ વિસ્તારની મહિલા ખેડૂતો હવે આંદોલનના માર્ગે વળી છે.