સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરીમાં 124 કરોડનું કૌભાંડ હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો. VTV પાસે ડેલોઇટનો 514 પેજનો રિપોર્ટ છે. પાઇપલાઇન નાખ્યા વિના જ કંપનીઓએ કરોડો રૂપિયા પાસ કરાવી લીધા.
નર્મદાની પાઈપલાઈનમાં કૌભાંડ
પાઈપલાઇન નાખ્યા વિના જ કરોડો ચાંઉ
124 કરોડનું આચરાયું કૌભાંડ
સુરેન્દ્રનગરમાં નર્મદાની અન્ડરગ્રાઉન્ડ પાઈપલાઈનના કામમાં 124 કરોડનું કૌભાંડ આચરાયું છે. ડેલોઇટના રિપોર્ટ મુજબ લગભગ 42 કરોડની રિકવરી બાકી છે. અમદાવાદની આર્યાવર્ત ઇન્ફ્રા, વિશાખા ઇરિગેશન પાસેથી રિકવરી બાકી છે. જ્યારે મહેસાણાની જયંતિ સુપરની પણ 15 કરોડની રિકવરી બાકી છે. આ મામલે ધ્રાંગધ્રાના એક્ઝિક્યુટિવ એન્જિનિયરનું કૌભાંડ મામલે ભેદી મૌન છે. ખેડૂતો પાણીની રાહ જોતાં રહ્યા અને નાણા ચાંઉ થઇ ગયા છે.