દિલ્હીમાં CAAના વિરોધીઓ અને CAAના સમર્થકોની વચ્ચે થયેલા અથડામણમાં દિલ્હીમાં હિંસાએ વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ. આ હિંસામાં દિલ્હીમાં 42 લોકોના મોત નિપજ્યાં છે. આ ઘટનાને પગલે દિલ્હીમાં ઘણા મહત્વના નિર્ણય પણ લેવાયા છે. તેમજ દિલ્હીમાં આતંક મચાવનારા લોકો સામે 100થી વધુ ફરિયાદ નોંધાયી છે. 600થી વધું લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેલમાં જાણે કિડિયારુ ઉભરાયું હોય એવી સ્થિતિ ઉભી થઈ છે. જે તંત્રના માથાનો દુખાવો પણ બન્યું.
હાઈકોર્ટની ફટકાર બાદ દિલ્હી પોલીસ એક્શનમાં
હિંસા મામલે 123 FIR, 630 લોકોની ધરપકડ
દિલ્હી હિંસામાં અત્યાર સુધીમાં 42 લોકોના મોત
દિલ્હી હિંસામાં ભડકે બળતું રહ્યું અને દિલ્હી પોલીસ તેને રોકવામાં નિષ્ફળ રહી હતી. જેને પગલે અડધી રાતે હાઈકોર્ટના જજે ઘરે સુનવણી કરી દિલ્હી પોલીસને હિંસાને પગલે કામગીરી કરવા આદેશ આપ્યાં હતા. એ બાદ દિલ્હી પોલીસે ગંભીરતાથી આ મામલામાં કામગીરી શરું કરી હતી.
630 લોકોની ધરપકડ કરવામાં આવી છે
દિલ્હીમાં ભડકેલી હિંસાના મામલે હાઈકોર્ટની ફટકાર બાદ દિલ્હી પોલીસ એક્શનમાં આવી ગઈ છે. હિંસા મામલે અત્યાર સુધીમાં 123 FIR દાખલ કરવામાં આવી છે. જ્યારે 630 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી હિંસામાં અત્યાર સુધીમાં 42 લોકોના મોત થયા છે. પોલીસની જેલમાં કિડિયારુ ઉભરાયું હોય એમ આરોપીઓથી ખીચો ખીચ ભરાઈ ગઈ છે.
પ્રભાવિત વિસ્તારમાં ડ્રોન કેમેરાથી રખાઇ રહી છે નજર
દિલ્હીની સુરક્ષા માટે હિજબુલને ઠાર કનાર એસ એન શ્રીવાસ્તવને દિલ્હી પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. સાથે સાથે તપાસ એસઆઈટીને સોંપી છે. હિંસાને પહલે સુરક્ષાદળો દ્વારા શાંતિ માટે રાતભર માર્ચ યોજાઈ હતી. તો અસરગ્રસ્ત વિસ્તારમાં ડ્રોન કેમેરાથી નજર રખાઈ રહી છે.