૨૭ એપ્રિલે પાડોશી દેશ નેપાળમાં લોકડાઉન સમાપ્ત થઈ રહ્યું છે. આવા સંજોગોમાં ૨૫ માર્ચથી નેપાળમાં ફસાયેલા ભારતના લગભગ પાંચ હજાર અને નેપાળના લગભગ સાત હજાર લોકો સડક માર્ગે ભારતમાં પ્રવેશ કરી શકે છે.
૨૭ એપ્રિલે પાડોશી દેશ નેપાળમાં લોકડાઉન સમાપ્ત થઈ રહ્યું છે
થોડા દિવસ પહેલાં ત્રણ મજૂરોએ અહીંથી ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ નેપાળ પોલીસે ત્રણેયને પકડી લીધા હતા
કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે પાડોશી દેશ નેપાળમાં ચાલી રહેલું લોકડાઉન આગામી ૨૭ એપ્રિલે ખતમ થઇ જશે. આવા સંજોગોમાં ૨૫ માર્ચથી નેપાળમાં ફસાયેલા ભારતના લગભગ પાંચ હજાર અને નેપાળના લગભગ સાત હજાર લોકો સડક માર્ગે ભારતમાં પ્રવેશ કરી શકે છે. આવા સંજોગોમાં તેમનું સ્વાસ્થ્ય પરીક્ષણ બહુ મોટો પડકાર બની રહેશે. આ અંગે સુચના વિભાગ તરફથી પીલીભીત સહિતના સાત જિલ્લાઓમાં એલર્ટ જારી કરી દેવાયું છે.
સૂચના વિભાગના પોલીસ અધિકારીએ ગઇ કાલથી નેપાળ સીમા સાથે જોડાયેલા પીલીભીત,મહારાજગંજ, સિદ્ધાર્થનગર, બલરામપુર, શ્રાવસ્તી, બહરાઇચ અને લખીમપુર ખીરીના પોલીસ કેપ્ટનોને મોકલેલા પત્રમાં જણાવ્યુ છે કે પીલીભીતના સીમાવર્તી નેપાળના જનપદ કંચનપુરના ગામ શિવનગરમાં આવેલી મહાકાલી ખાંડ મિલમાં કામ કરનારા લોકોમાં ૧૧૦ ભારતીયો છે. ચીની મિલમાં શેરડીની આપૂર્તિ ન થતા મિલ બંધ કરી દેવાઇ છે. થોડા દિવસ પહેલાં ત્રણ મજૂરોએ અહીંથી ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ નેપાળ પોલીસે ત્રણેયને પકડી લીધા હતા.
હવે ૨૭ એપ્રિલે નેપાળમાં લોકડાઉન ખૂલતા આ મજૂરો ભારત આવવાનો પ્રયાસ કરી શકે છે. નેપાળમાં ૨૫ માર્ચથી રોકાયેલા ભારતના લગભગ પાંચ હજાર અને નેપાળના લગભગ સાત હજાર લોકો લોકડાઉન ખૂલવાની રાહ જોઇ રહ્યા છે.