બનાસકાંઠાઃ શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ દેશભરના શિવાલયોમાં ભતોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ત્યારે આજે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના પાડણ ગામની. અહીં 1200 વર્ષથી પણ જુનું મૂળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં દૂર-દૂરથી ભતો ભગવાન શંકરના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
શ્રદ્ધાળુઓનો ભગવાન ભોળાનાથ પર એટલો વિશ્વાસ છે કે અહી દર્શન કરવાથી તેમની મનોકામના પણ પૂર્ણ થાય છે. અહીં ભતો વહેલી સવારથી જ શિવાલયમાં આવી જાય છે. દૂધ મધ બિલીપત્ર ચઢાવી ધન્યતા અનુભવે છે.
મુળેશ્વર મંદિર નિર્માણ પાછળ એક ઈતિહાસ રહેલો છે. પાટણના મહરાજ સિદ્ધરાજાસિંહને કોઈ સંતાન ન થતા તેમનો દેવો પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. જોકે એક દિવસ શિવજી તેમના સવપ્નમાં આવે છે અને પુત્ર પ્રાપ્તીના આશિર્વાદ આપે છે અને તેમના પુત્રનું નામ મુળરાજ રાખવાનું કહે છે.
લાંબા સમય બાદ સિદ્ધારાજાસિંહને ત્યા પુત્રનો જન્મ થાય છે. જે બાદ જમીનમાંથી નિકળેલા એક શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા તેઓ કરાવે છે. મંદિર નિર્માણ કરાવી મંદિરનું નામ મુળેશ્વર મહાદેવ રાખે છે.