સુરેન્દ્રનગરના જામવાડી ગામે આવેલ શિવમંદિરમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી જેના કારણે ગ્રામજનોમાં રોષનો માહોલ ફેલાયેલો છે. ગુપ્તધનની લાલચે આ તોડફોડ કરવામાં આવી છે. તેવું ગ્રામજનનોનું કહેવું છે.
જામવાડી ગામમાં 1200 વર્ષ જૂના મંદિરમાં તોડફોડ
અજાણ્યા શખ્સો તોડફોડ કરીને ફરાર
મંદિરની અંદર કર્યો 6 ફુટ ઉંડો ખાડો
સુરેન્દ્રનગરમાં દિવસેને દિવસે હવે ગુનાખોરી વધી રહી છે. ખાસ કરીને તસ્કરો પણ અહીયા વધારે સક્રિય થયા છે. ત્યારે વધુંમાં સુરેન્દ્રનગરમા આવેલ જામવાડી ગામમાં તોડફોડનો બનાવ સામે આવ્યો છે. સાંભળીને આપને લાગશે કે અજાણ્યા શખ્સોએ ગામમાં આવેલ શિવમંદિરમાં તોડફોડ કરી જેના કારણે ગામના લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
મંદિરમાં 6 ફૂટનો ખાડો ખોદ્યો
આપને જણાવી દઈએ કે જે શિવમંદિરમાં અજાણ્યા શખ્સોએ તોડ઼ફોડ કરી છે. તે મંદિર 1200 વર્ષ જૂનુ છે. ગ્રામજનોનું એવું કહેવું છે કે વિધર્મીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. મંદિરની અંદરના ભાગે અંદાજે 6 ફૂટ જેટલો ઉંડો ખાડો કરવામાં આવ્યો છે.
ગ્રામજનોમાં રોષનો માહોલ
સાંભળીને આપને નવાઈ લાગશે તોડફોડ કરનાર શખ્સોએ શિવલીગ પર ખોદી કાઢ્યું છે. જેના કારણે ગ્રામજનોમાં રોષનો માહોલ ફેલાયો છે. સાથેજ તેમની લાગણી પણ દુભાઈ છે. ગ્રામજનોનું કહેવું છે કે જેણે પણ આ કૃત્ય કર્યું છે તેણે ગુપ્તધન મેળવવાની લાલચમાં આ કૃત્ય કર્યું છે. જેથી તોડફોડ કરનાર શખ્સોને જલ્દીથી શોધવામાં આવે તેવી ગ્રામજનોની માગ છે.
મંદિરનું સમારકામ કરવાની માગ
ઉલ્લેખનીય છે કે ગ્રામજનોના કહેવા મુજબ છેલ્લા કેટલાય સમયથી જામવાડી ગામમાં આવેલ શિવમંદિર ખંડીત હાલતમાં છે. જેથી તેમની માગ છે કે તંત્ર દ્વારા મંદિરનું સમારકામ કરવામાં આવે. સાથેજ જે શખ્સોએ મંદિરમાં તોડફોડ કરી છે. તેમને જલ્દીથી જલ્દી શોધીને તેમની સામે કડક પગલા લેવામાં આવે તેવી પણ ગ્રામજનોએ માગ કરી છે.