છત્તીસગઢના બીજપુરમાં રહેતી યુવતી કોઈ પણ રીતે ઘરે પહોંચવા માંગતી હતી. ત્યાંથી નીકળી અને રસ્તામાં ચાલતા-ચાલતા ત્યાં પહોંચી ગઇ જ્યાંથી કોઇ પાચું આવી શકતું નથી. આ છોકરી માત્ર 12 વર્ષની હતી, પરંતુ પડોશી રાજ્ય તેલંગાણામાં જઇ પોતાનું ઘર ચલાવવા માટે ખેતરોમાં કામ કરતી હતી. તેનું નામ જમલો મકદમ હતું. જ્યારે શરૂઆતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર થયું ત્યારે તેણીને કોઇપણ રીતે ચલાવી લીધુ પરંતુ જ્યારે લોકડાઉન-2 ની જાહેરાત 3 મે સુધી વધારી દેવામાં આવી તો તેની ધીરજ ખુટી ગઇ.
લોકડાઉન દરમિયાન 3 કિમી સુધી પગપાળા ચાલી 12 વર્ષની માસૂમ
ઘર ચલાવવા માટે બીજા રાજ્ય તેલંગાણામાં કામ કરવા જતી હતી
લોકડાઉન વધવાને લઇને સાથી શ્રમિકો જોડે ચાલવાની કરી શરૂઆત
અચાનક બેભાન થઇ, મોત નિપજ્યું
આમ પણ ઘરમાં કોઇ કામ નહોતું, જેને લઇને તે બહાર નીકળી હતી. તેની મંઝિલ 150 કિલોમીટર દૂર હતી અને ત્યાં પહોંચવા માટે કોઇ સાધન નહોતું. એવામાં તેણીએ ચાલીને ત્યાં પહોંચવાનું નક્કી કર્યું. ત્રણ દિવસ સુધી તે ચાલતી રહી. ગામ માત્ર એક કલાક જેટલું જ દૂર હતું કે ત્યાં તે અચાનક બેભાન થઇ ગઇ. તેણીનું રસ્તા પર પડતાં ઘટના સ્થળ પર જ મૃત્યું થયું. જો કે તેની સાથે ચાલનારાઓ કહ્યું કે તેને પેટમાં દુખાવની ફરિયાદ હતી.
મૃતદેહ લઇ ગામડે પહોંચી એમ્બ્યુલન્સ
જ્યારે એ નક્કી થઇ ગયું કે લોકડાઉ આગળ વધ્યું છે, ત્યારે જમલો સાથે મરચાના ખેતરમાં કરનારા અન્ય 11 લોકો પણ તેની સાથે ચાલતા નીકળી પડ્યાં હતા. આ બધા હાઇવે છોડીને જંગલના રસ્તે નિકળ્યાં હતા કારણ તે ટુકો પડી રહ્યો હતો. રસ્તામાં જમલો ખાવાનું પણ ઠીક રીતે ખાઇ રહી નહોતી. ઘણી વખતી તેણીને ઉલટી થઇ હતી. જમલોનું ઘર માત્ર 14 કિમી દૂર હતી ત્યારે તેના પેટમાં ભયંકર દર્દ ઉપડ્યો. જોત જોતામાં તેણીએ દમ તોડી દીધો. અંતમાં જમલો ઘરે તો પહોંચી પરંતુ જીવીત નહીં. એક એમ્બ્યુલન્સ તેના મૃતદેહને લઇને ગામડે આવી.
શરીરે છોડ્યો જમલાનો સાથ
જમલોના પિતાએ કહ્યું કે તે બે મહિનાથી તેલંગાણામાં કામ કરી રહી હતી. ડૉકટર્સોએ કહ્યું કે જમલો ઘણી ડિહાઇડ્રેટેડ અને કુપોષિત હતી. કદાચ તેના શરીરમાં ઇલેકટ્રોલાઇટનું ઇમ્બેલેંસ થઇ ગયું. જો કે મામલાને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા જમલોના પરિવારને 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી.
પગપાળા ચાલનારાઓની સંખ્યા વધારે
લોકડાઉનના કારણે રોજગારી છિનવાઇ જતાં ઘણા પ્રવાસી શ્રમિકો દેશના અલગ-અલગ ભાગમાં ફસાઇ ગયેલા જોવા મળ્યાં. ઘણા બધા લોકો હજારો કિલોમીટર સુધી પગપાળા ચાલીને નીકળી પડ્યા છે. કેટલાંક મંઝિલ સુધી પહોંચવામાં સફળ રહે છે તો કેટલાંકના નસીબ જમલો જેવા જોવા મળે છે.