રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેવા યુદ્ધને લઇને સૌ કોઇ ચિંતિત છે. વડાપ્રધાન મોદીએ પણ આ અંગે વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાત કરીને વાતચીતથી ઉકેલ લાવવાનું કહ્યુ ત્યારે હવે સુરતની એક વિદ્યાર્થીએ પણ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પત્ર લખ્યો છે. મહત્વનુ છે કે રશિયા અને યુક્રેનના જંગનો આજે સોમવારે પાંચમો દિવસ છે. યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ શહેર પર રશિયાની સેનાનો હુમલો ચાલું છે. તે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ દાવો કર્યો છે કે, રશિયા તેમની હત્યા કરવા માટે કીવમાં 400થી વધારે હત્યારા મોકલ્યા છે.
વિદ્યાર્થીનીએ પુતિનને લખ્યો પત્ર
સુરતની 12 વર્ષની વિદ્યાર્થીની મોનાલી ધકાણે રશિયાના રાષ્ટ્રપતિને પુતિનને પત્ર લખ્યો છે. પત્રમાં તેણે લખ્યુ કે યુક્રેનના રાષ્ટ્રપતિને મે ન્યૂઝમાં જોયા તેઓ કહી રહ્યા હતા કે રશિયન આર્મી મને અને મારા પરિવારને મારી નાંખશે. ત્યારથી મને ચિંતા થવા લાગી છે. હું માની લઉ કે આ યુદ્ધ તમે જીતી જશો પરંતુ રશિયન આર્મી આ યુદ્ધમાં માર્યા જશે . આ જંગ જીતીને કેટલાય પરિવાર આ જંગમાં હારી જશે. આથી તમને હાથ જોડીને વિનંતી કરુ છુ કે આ જંગ રોકી દો.
રશિયન ભાષામાં કર્યુ ટ્વિટ
મોનાલીએ શાળામાં ચાલી રહેલા વિજ્ઞાનમેળામાં પણ આ પત્ર ડિસ્પ્લે કર્યો હતો. તેણે અંગ્રેજી અને હિંદી એમ બંને ભાષાઓમાં લેટર લખ્યો છે. બાળસહજ વાત તેણે પોતાના પત્રમાં લખી છે. તેણે પુતિનને વિનંતી કરી છે કે આ યુદ્ધ ના કરે. આ ઉપરાંત સાથે સાથે રશિયન ભાષામાં પણ તેણે ટ્વિટ કર્યુ છે જેમાં પીએમઓઇન્ડિયાને પણ ટેગ કર્યું છે.
મહત્વનુ છે કે રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીતનો મંચ તૈયાર થઈ ચુક્યો છે. આ વાતચીત બેલારૂસમાં થવાની છે. બેલારૂસના વિદેશ મંત્રાલયે એક ફોટો ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.
વાતચીત માટે બેલારૂસ પહોંચ્યું યુક્રેનનું ડેલિગેશન
જંગની વચ્ચે યુક્રેન અને રશિયામાં વાતચીતની પહેલ થઈ છે. એક રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર યુક્રેનનું જે ડેલિગેશન વાતચીત માટે નિકળ્યું હતું. તે બેલારૂસ પહોંચી ચુક્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ પહેલા જ કહ્યું હતું કે, બેલારૂસની સરહદ પર રશિયા યુક્રેનની વાતચીત થઈ શકે છે.