મોરબીના માળીયામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો કેનાલમાં પાણી છોડવાની માગ કરી હતી. કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતઓએ આજે રેલીનુ આયોજન કર્યુ હતુ. ત્રણ દિવસના ઉપવાસ બાદ પણ પાણી નહી મળતા સતત ચોથા દિવસે પણ ઉપવાસ ચાલુ રાખ્યા છે.
મહત્વનુ છે કે માળીયા તાલુકામાં નર્મદા બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈ માટે પાણી આપવા માટે ખેડૂતો દ્વારા 19 તારીખથી પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા. 12 ગામના ખેડૂતોને 30 કિલોમીટર સુધીના વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવા સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી હતી.
જોકે ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાના ખેડતો દ્વારા પાણીનો વધારે ઉપયોગ કરવામાં આવતા 12 ગામના ખેડૂતોને પાણી મળતુ નથી. પાણી ન મળતા ખેડૂતોએ આંદોલન કર્યા છે. ખેડૂતોને પાણી નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે.