જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદ પર ભારતીય સેનાએ પ્રચંડ પ્રહાર કર્યો છે અને 72 કલાકમાં 12 આતંકીઓને હંમેશા માટે સૂવડાવી દીધા છે.
જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદ પર પ્રચંડ પ્રહાર
72 કલાકમાં 12 આતંકીઓને ઠાર માર્યા
72 કલાકમાં 4 ઓપરેશન કરવામાં આવ્યું
જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદના સફાયય માટે તેજીથી કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે 72 જ કલાકમાં કાશ્મીર ખીણમાં 12 આતંકીઓને મારવામાં આવ્યા છે. જમ્મૂ કાશ્મીર પોલીસ અને સેના મળીને કાશ્મીરની ધરતી પરથી આતંકવાદનું નામોનિશાન મટાડી દેવા માટે કામ કરી રહી છે.
આતંકીઓનો સફાયો ચાલુ
આટલું જ નહીં શનિવારે ભારતીય સેનાના જવાનની હત્યા કરવામાં આવી હતી તેનો બદલો પણ સેનાએ લીધો છે. ભારતની વીર સેનાએ 24 કલાકમાં આ જવાનનો બદલો લેવામાં આવ્યો જેની જાણકારી જમ્મૂ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે આપી છે.
12 આતંકીઓનો ખાતમો
જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ભારતીય સેના ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં 72 કલાકમાં જુદી જુદી જગ્યાઑ પર 12 આતંકીઓને મારવામાં આવ્યા છે. સાત આતંકીઓ ત્રાલ અને શોપિયામાં હતા. આ સિવાય હરિપોરા તથા બીજબેહરામાં પણ આતંકીઓના ઢીમ ઢાળી દેવામાં આવ્યા છે. કાશ્મીરમાં પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું એક બીજબેહરામાં અથડામણમાં સેનાના જવાનની હત્યાના જવાબદાર આતંકીને બે જ દિવસમાં મારી નાંખવામાં આવ્યો છે.
નવા આતંકીઓની ભરતી થતી રોકવા માટે શાંતિપૂર્ણ પ્રયાસ પણ ચાલુ
કાશ્મીરના IGPએ કહ્યું કે પોલીસ અને સેનાએ હાલમાં જ આતંકી સંગઠનમાં ભરતી થયેલા યુવાનોના સરેન્ડર પર ભાર આપવામાં આવી રહ્યું છે. આતંકીઓના પરિજનો અપીલ કરી રહ્યા છે કે તેઓ સરેન્ડર કરે.