નિર્ભયા ગેંગરેપના ચારેય દોષિતોને બટર લગાવેલા દોરડા પર ફાંસી આપવામાં આવશે. 22 જાન્યુઆરીના રોજ તમામ દોષિતોને ફાંસી અપાશે. ફાંસી આપવાના એક દિવસ પહેલા 21 જાન્યુઆરીના રોજ તમામ દોરડાનું ફાઈનલ ટ્રાયલ કરવામાં આવશે.
22 જાન્યુઆરીએ નિર્ભયા કેસના દોષિતોને અપાશે ફાંસી
21 જાન્યુઆરીએ લેવાશે ટ્રાયલ
ડમી બેગ બનાવીને દોરડા પર લટકાવવામાં આવશે
જેના માટે તમામ દોષિતોના વજનના ડમી બેગ બનાવીને દોરડા પર લટકાવવામાં આવશે. ચારેય દોષિતોને ફાંસી આપવા માટે 12 દોરડા તૈયાર કરવામાં આવ્યા છે. દોષિતને ફાંસી આપવા માટે એક જ દોરડાની જરૂર હોય છે.
બેકઅપ માટે 2-2 દોરડા તૈયાર કરાયા
જોકે તમામ દોષિત માટે બેકઅપના માટે 2-2 દોરડા તૈયાર કરવામાં આવે છે. દોરડાના મજબુતી માટે 21 જાન્યુઆરીના રોજ ફાઈનલ ટ્રાયલ કરાશે. ત્યારબાદ તમામ દોરડા પર બટર લગાવીને મુકવામાં આવશે. 22 જાન્યુઆરીના રોજ સવારે તમામ દોષિતોને ફાંસી પર લટકાવવામાં આવશે.
આ વ્યક્તિ ફાંસી સમયે હોય છે હાજર
ફાંસી આપતી વખતે ત્યાં એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ, જેલ અધિક્ષક અને જલ્લાદ હાજર રહે છે. આ લોકો પૈકી એક પણ વ્યક્તિ હાજર ન હોય તે કેદીને ફાંસી આપી શકાતી નથી. આ તમામ લોકોને પહેલા જ ફાંસીના દિવસ અંગે તથા સમય અંગેની જાણ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, નિર્ભયાના અપરાધીઓ એવા મુકેશ, પવન, અક્ષય અને વિનયના હિસ્સામા મોતની સજા આવી છે. કેમ કે તેમના માટે મોતથી બચવાના કાયદાના તમામ દરવાજાઓ હવે બંધ થઈ ગયા છે. આ ચારેય અપરાધીના નામે પટિયાલા હાઉસકોર્ટથી બ્લેક વોરંટ જાહેર થઈ ગયું છે. બ્લેક વોરંટ એટલે કે `મોતનો અંતિમ પૈગામ'. આ ચારેય અપરાધીઓને હવે 22 જાન્યુઆરીએ સવારે સાત વાગ્યે ફાંસીએ લટાકાવી દેવામાં આવશે.
ફાંસીના નિયમો શું હોય છે?
ફાંસીની પ્રક્રિયમાં ફાંસીનો ફંદો, ફાંસીનો સમય જેવી પ્રક્રિયાઓ સામેલ છે
જેલ સુપિરિન્ટેન્ડેન્ટ, મેજિસ્ટ્રેટ, જલ્લાદ અને ડોક્ટરનું હોવું જરૂરી છે
ફાંસીનો સમય સવારે જ નક્કી કરાય છે જેથી જેલના કામમાં અડચણ ન આવે
ફાંસી આપવાનો સમય નક્કી થાય એટલે કેદીને ડેથ સેલમાં મોકલાય છે
ડેથ સેલમાં માત્ર અંધારું હોય છે અને આગલી રાત ત્યાં જ વીતે છે
ડેથ સેલની આજુબાજુ સુરક્ષા માટે સિક્યુરિટી સિવાય કોઈ હોતું નથી
ફાંસીના છેલ્લા સમયે માત્ર જલ્લાદ જ સજા પામનારની સાથે હોય છે
જલ્લાદ અપરાધીના કાનમાં એક વાત કહે છે અને લીવર ખેંચી લે છે
હિંદૂને `રામ-રામ' અને મુસ્લિમને `સલામ' એવું જલ્લાદ કાનમાં બોલે છે
જલ્લાદ કાનમાં બોલે છે કે હું મારી ફરજ આગળ લાચાર છું
અને સત્યની રાહ પર ચાલવાની તમારા માટે કામના કરું છું