અયોધ્યાના ગુપ્તાર ઘાટમાં એક જ પરિવારના 15 લોકો ડૂબી ગયાના સમાચાર સામે આવ્યા છે. આ પરિવાર સરયૂમાં સ્નાન કરવા આવ્યા હતા. પરંતુ ત્યાં એક દુર્ધટના થઈ અને 15 લોકો ડૂબી ગયા. પોલીસ અને તરવૈયાઓ દ્વારા આ તમામ લોકોની શોધખોળ ચાલુ છે.
એક જ પરિવારના 15 લોકો ડૂબ્યાં
સરયૂ નદીના ગુપ્તાર ઘાટ પરની ઘટના
15 માંથી 4 લોકોને રેસ્ક્યૂ કરી બચાવ્યા
એક જ પરિવારના 15 લોકો ડૂબ્યાં
આ પરિવાર આગ્રાથી હોય તેવું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. જે સરયૂ નદીના ગુપ્તાર ઘાટ પર સ્નાન કરવા માટે આવ્યો હતો. પણ ત્યાં પાણીના ધસમસતા પ્રવાહમાં પહેલા અમુક લોકો તણાયા અને ત્યારબાદ તે લોકોને બચાવવા જતાં પરિવારના બીજા સભ્યો પણ આ પ્રવાહમાં તણાયા. હાલ જે વિગતો મળી છે તે મુજબ આ એક જ પરિવારના કુલ 15 લોકો ડૂબી ગયા છે, પોલીસ અને તરવૈયાઓ દ્વારા આ તમામ લોકોની શોધખોળ ચાલુ છે.
સરયૂ નદીના ગુપ્તાર ઘાટ પરની ઘટના
પ્રાપ્ત વિગતો મુજબ સ્થાનિક લોકોએ તેમની બૂમો અને ચીસો સાંભળી તેમની મદદે આવ્યા અને તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી. તરત જ રેસ્ક્યૂ ટીમ પર ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને સહેજ પણ સમય વેડફયા વિના તમામ લોકોને બચાવવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા. હાલ આ ઘાટ પર સ્થાનિક અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની મોટી ટીમ આવી પહોંચી હતી. ઘટનાની ગંભીરતા જોઈને NDRF ની ટીમ પણ બોલાવી શકે છે.
15 માંથી 4 લોકોને રેસ્ક્યૂ કરી બચાવ્યા
અયોધ્યાના DMમાં મળી જાણકારી મુજબ કુલ 15 લોકો ડૂબી ગયા હતા, જેમાંથી ચાર લોકોને રેસ્ક્યૂ કરી બહાર કાઢી લેવામાં આવ્યા છે. પણ હજી 11 લોકો મળ્યા નથી. એવામાં માની શકાય કે આ શોધખોળ ઘણું લાંબુ ચાલી શકે છે. પોલીસ અને તરવૈયાઓ દ્વારા આ તમામ લોકોની શોધખોળ ચાલુ છે.