બોટાદ પંથકમાં લઠ્ઠાકાંડને લઈ અન્ય એક મોટા સમાચાર સામે આવ્યા છે. લઠ્ઠાકાંડના અસરગ્રસ્ત 12 દર્દીઓ સારવાર અર્થે અમદાવાદ આવ્યા છે. જોકે હવે આ તમામ દર્દીઓ અમદાવાદના જ હોવાનો ખુલાસો થયો છે. આ તરફ હવે દર્દીઓને જરૂરી સારવાર આપવા અને અન્ય મેડિકલ જરૂરિયાત પણ તાત્કાલિક આપવા સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે, બોટાદ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 27 લોકો મોતને ભેટ્યાં છે.
લઠ્ઠાકાંડના 12 દર્દીઓ સારવાર અર્થે અમદાવાદ આવ્યા
બોટાદ લઠ્ઠાકાંડના 12 દર્દીઓ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે એક ચોંકાવનારી બાબતતો એ સામે આવી છે આ તમામ દર્દીઓ અમદાવાદના જ છે. જેને લઈ હવે દર્દીઓને જરૂરી સારવાર આપવા અને અન્ય મેડિકલ જરૂરિયાત પણ તાત્કાલિક આપવા સૂચના અપાઈ છે. બોટાદ અત્યાર સુધી 27 લોકો મોતને ભેટ્યાં છે. તો મુખ્યમંત્રીએ પણ તાત્કાલીક તપાસના આદેશ આપ્યા છે.
મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા
બોટાદમાં લઠ્ઠાકાંડ મુદ્દે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બોટાદમાં લઠ્ઠાકાંડને લઈ સરકાર હરકતમાં આવી છે અને મુખ્યમંત્રીએ DGP સાથે આ મામલે વાત કરી છે. આ તરફ ગૃહરાજ્યમંત્રીએ પણ ઘટનાની નોંધ લીધી છે. બોટાદમાં લઠ્ઠાકાંડને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્વરીત તપાસના આદેશ આપ્યા છે.
ઘટનાને પગલે SIT ની રચના કરવામાં આવી
આ બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DySPની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે. FSLને પણ દારૂની અસર થયેલા લોકોના તેમજ મૃતકોના સેમ્પલ આપવામાં આવ્યા છે જે બાદ જ મૃત્યુનું સાચુ કારણ આધિકારિક રીતે બહાર આવી શકે છે
બોટાદમાં કથિત લઠ્ઠાકાંડ બાદ વહીવટી તંત્ર દોડતું થયું
બોટાદના રોજિદ ગામે ગત રોજ કથિત લઠ્ઠાકાંડ બાદ જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું છે. બોટાદ કલેકટરે ગત મોડી રાત્રે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.અને આ સાથે કલેક્ટરે મોડી રાત્રે અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી.આ સાથે ઝેરી દારૂથી અસરગ્રસ્ત દર્દીઓની સારવાર અંગે મેળવી માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે,લઠ્ઠાકાંડને લઈને સોમવાર મોડી રાત સુધી સીએચસી અને સરકારી દવાખાનાઓમાં અસરગ્રસ્તોનો ધસારો આવી રહ્યો હતો.
કથિત લઠ્ઠાકાંડ મામલે બોટાદ SP કરણરાજસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું કે, 'કથિત લઠ્ઠાકાંડમાં વપરાયેલ કેમિકલ ચોરીનું હોવાનો ખુલાસો થયો છે. દારુમાં વપરાયેલ કેમિકલ ચોરી કરાયું હતું. લાંભા અટકાયત કરવામાં આવેલ શખ્સ આ કેમિકલ ચોરી કરીને લાવ્યો હતો. હાલમાં આ મામલે રાણપુર અને બરવાળા ગામે તપાસ ચાલી રહી છે. દેશી દારુને લઇ સ્થાનિક PIને તપાસ માટેના આદેશ પણ અપાયા છે.