ઉત્તર પ્રેદશના સોનભદ્ર જિલ્લામાં જમીનથી જોડાયેલા વિવાદમાં થયેલા નરસંહારમાં ગ્રામ પ્રધાન સહિત 11 જાણીતા અને 50 અજ્ઞાત લોકોની વિરુદ્ઘ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને નરસંહારમાં ઉપયોગમાં આવેલા હથિયારોને પોલીસે જપ્ત કરી દીધા છે.
આ મામલામાં ગ્રામ પ્રધાનના ભત્રીજા સહિત 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 16 જૂલાઇના 32 ટેક્ટર-ટ્રોલીઓ ભરીને પ્રધાન સહિત 300 લોકો જમીન પર કબ્જો જમાવવા માટે પહોંચ્યા અને નરસંહારમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો જ્યારે 23 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમને જણાવી દઇએ કે, આ ઘટના પછી ઉત્તર પ્રદેશના કાયદાકીય વ્યવસ્થાને આ લઇને સવાલો થઇ રહ્યા છે.
સોનભદ્રમાં જમીન માટે થયેલા આ વિવાદમાં ગોળીઓ મારીને 10 લોકોની હત્યા કરી દીધી, ત્યાં સમ્ભલમાં ઘાત લગાવીને બેઠેલા બદમાશોએ 2 પોલીસ કર્મચારીઓને ગોળી મારીને હત્યા કરી દીધી અને 3 કેદીઓને છોડાવી દીધા. રાજ્યના વિધાનસભાના મૉનસૂન સત્ર શરૂ થયા પહેલા જ બુધવારે આ ઘટના બન્યા પછી સરકાર અને પોલીસ સતર્ક થઇ ગઇ છે. મુંખ્યમંત્રી આદિત્યનાથે બંને ઘટનાને લઇને સખ્ત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
પોલીસ કમિશ્નર અનુસાર, સોનભદ્રના ઘોરાવલ થાણા વિસ્તારમાં ઉઘા ગામમાં 2 વર્ષ પહેલા ગ્રામ પ્રધાન યજ્ઞદત્તે એક IAS અધિકારીની પાસેથી 90 વીધા જમીન ખરીદી હતી. યજ્ઞદત્તે આ જમીન પર કબ્જો કરવા માટે મોટી સંખ્યામાં પોતાના સાથીઓની સાથે પહોંચીને ટ્રેક્ટરોથી જમીન ઝડપી લેવાનો પ્રયત્ન કર્યો. સ્થાનીક ગ્રામીણોએ આ વાતનો વિરોધ કર્યો જે પછી ગ્રામ પ્રધાન પક્ષના લોકોએ સ્થાનીક ગ્રામીણો પર ગોળીબાર કરીને મોતના ઘાટ ઉતારી દીધા. આ ઘટના પછી મધ્ય પ્રદેશ પોલીસને પણ સતર્ક કરી દેવામાં આવી છે. જરૂર પડ્યા પર જમીન વેચનારા IAS અધિકારી વિરુદ્ઘ કાર્યવાહી પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, યોગી આદિત્યનાથે આ ઘટનામાં માર્યા ગયા લોકોને પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.
भाजपा-राज में अपराधियों के हौसले इतने बढ़ गए हैं कि दिन-दहाड़े हत्याओं का दौर जारी है।
सोनभद्र के उम्भा गाँव में भू माफियाओं द्वारा 3 महिलाओं सहित 9 गोंड आदिवासियों की सरेआम हत्या ने दिल दहला दिया।
प्रशासन-प्रदेश मुखिया-मंत्री सब सो रहे हैं। क्या ऐसे बनेगा अपराध मुक्त प्रदेश?
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 17, 2019
તો બીજી તરફ આ મામલામાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતા કહ્યુ કે, ''ભાજપ રાજમાં અપરાધીઓની હિંમત એટલી વધી ગઇ છે કે લોકોની હત્યા કરી દેવામાં આવી રહી છે. સોનભદ્રના ગામમાં 3 મહિલા સહિત કુલ 12 લોકોની હત્યા કરી દેવામાં આવી છે. પ્રશાસન મુખ્ય મંત્રી તમામ લોકો સૂઇ રહ્યા છે? કેવી રીતે બનશે અપરાધ મુક્ત પ્રદેશ?''