ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં કોરોનાના 32 નવા કેસ નોંધાયા તો સંક્રમણના કારણે 1 વ્યક્તિનું મોત નિપજ્યું, નવા કેસની સામે આજે ગુજરાતમાં 161 દર્દીઓ સાજા થયાં
ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો
રાજ્યમાં આજે 32 કોરોના કેસ નોંધાયા
રાજ્યમાં આજે 161 દર્દીઓ સાજા થયા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 32 નવા કેસ નોંધાયા છે, તો છેલ્લી 24 કલાકમાં એક વ્યક્તિનું સંક્રમણના કારણે મોત થયું. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજેપણ સાજા થનારનો આંકડો વધુ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 10,074 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 161 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 8,13,399 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 7 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 801 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
ગુજરાતમાં કુલ 2,81,15,181 લોકોનું વેક્સિનેશન
ગુજરાતમાં આજે 2,54,759 લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે સમગ્ર ગુજરાતમાં 2,81,15,181 લોકોનું કુલ વેક્સિનેશન કરાયું છે
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ વચ્ચે રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 9 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 3 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 1 કેસ, જ્યારે ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 2 કેસ અને ગ્રામ્યમાં 0 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત....