ભાડાના ઘર અને દુકાન પર સરકાર 12 ટકા જીએસટી લગાડી રહી તેવો મેસેજ વાયરલ થતા સરકારે સ્પસ્ટતા કરવી પડી છે.
સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો થયો
સરકાર ભાડાના ઘર લગાડી રહી છે 12 ટકા જીએસટી
સરકારની સ્પસ્ટતા-વાયરલ મેસેજ ખોટો, સરકાર
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે સરકાર ભાડાના મકાનો અને દુકાનો પર 12 ટકા જીએસટી લાગુ કરવા જઈ રહી છે. દાવામાં કહેવામાં આવ્યું છે કે જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં 12 ટકા જીએસટી ટેક્સનો નિયમ લાગુ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ દાવામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની તસવીર છે.
Claim : A 12% GST tax on rent for houses and shops will be introduced at the upcoming GST Council meeting.#PIBFactCheck :
➡️@FinMinIndia has made no such prior decision for the forthcoming GST Council meeting.
વાયરલ દાવો ખોટો-સરકારની સ્પસ્ટતા
જો કે સરકારે આ દાવાને ખોટો ગણાવીને તેના પર ભરોસો ન રાખવાની અપીલ કરી છે. સરકારની પ્રેસ એજન્સી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (પીઆઈબી)એ આ વાયરલ મેસેજની સચ્ચાઈ જાહેર કરી છે. પીઆઈબીએ પોતાની ફેક્ટ-ચેકમાં કહ્યું છે કે, નાણામંત્રીએ જીએસટી પર આવો કોઈ નિર્ણય લીધો નથી.
ભાડાના મકાનો અને દુકાનો પર જીએસટી લગાડવાની કોઈ યોજના નથી
જીએસટી કાઉન્સિલની સમયાંતરે બેઠક મળે છે જેમાં જીએસટી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. પરંતુ ભાડાના મકાનો અને દુકાનો પર સરકાર 12 ટકા જીએસટી લાદવાનું વિચારી રહી હોવાના કોઈ સંકેત નથી. જીએસટીની બેઠકમાં ઘણી વખત જીએસટીના દરોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવે છે. આવું ઘણા પ્રસંગોએ જોવા મળ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે ક્યારેક ક્યારેક ફેક મેસેજ પણ ફરતા થઇ જાય છે. 12 ટકા જીએસટી સાથેનો મેસેજ પણ આ જ કેટેગરીનો છે.
સરકારે શું કહ્યું
વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે ભાડાના મકાન અને દુકાનો પર 12 ટકા જીએસટી લાગશે, જેના કારણે મકાન માલિકોમાં ચિંતા વધી છે. આ ચિંતાને દૂર કરતાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે 12 ટકા જીએસટી લાદવાની કોઈ યોજના નથી અને સરકારી સ્તરે આવી કોઈ તૈયારી પણ નથી. સરકાર તરફથી પીઆઈબીએ પોતાના ફેક્ટચેક ટ્વિટમાં લખ્યું કે આ મેસેજ સંપૂર્ણપણે ખોટો અને નકલી છે. પીઆઈબી ફેક્ટ ચેક ટીમના જણાવ્યા અનુસાર જીએસટી કાઉન્સિલની આગામી બેઠકને લઈને નાણામંત્રીએ આવો કોઈ નિર્ણય લીધો નથી.
વાયરલ મેસેજમાં શું છે?
પીઆઈબીએ લોકોને આવી ભ્રામક અને અફવા ફેલાવનારી પોસ્ટથી બચવાની સલાહ આપી છે. પીઆઈબીએ કહ્યું કે લોકોએ આવી પોસ્ટ્સ શેર કરવાનું ટાળવું જોઈએ.
શું છે GSTનો નિયમ?
જો કોઈ મકાન કોમર્શિયલ કામ માટે ભાડે આપવામાં આવે તો જ તેના પર જીએસટી લાગે છે. જે પણ કોમર્શિયલ જગ્યાઓ ભાડા પર આપવામાં આવે છે તેના પર 18 ટકા જીએસટી લાગે છે. કરપાત્ર મૂલ્ય પર 18ટકા વેરો લાગે છે અને તેને સેવાના કરપાત્ર પુરવઠા તરીકે ગણવામાં આવે છે.