નવી દિલ્હીઃ 20થી વધુ યાત્રીઓને લઇને જઇ રહી એક બસ રવિવારે ઉત્તરાખંડના ઉત્તરકાશી-યમુનોત્રી રાજમાર્ગ પર એક ખીણમાં ખાબકી છે. આ દુર્ઘટના દમતાની પાસે બની છે. દુર્ઘટનામાં 12 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 9 લોકોના મૃતદેહ મેળવી લેવાયા છે. બચાવ કામગીરી હજુ શરૂ છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવાયા છે.
આ દુર્ઘટના બપોરે 12:30 કલાકે બની હતી. બસ ચાલક એકાએક દમતાથી 3 કિલોમીટર પહેલા બેકાબૂ બની અને બસ 150 મીટર ઉંડી ખીણમાં ખાબકી હતી.
#UPDATE 12 dead of which 9 bodies have been recovered. Rescue operation underway: Ajay Rautela DIG Garhwal Range on the bus accident near Damta on Uttarkashi-Yamunotri Highway earlier today. #Uttarakhandhttps://t.co/tom3iqDF3K
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે આ ઘટના વીશે માહિતગાર કરાયા હતા. રિપોર્ટ અનુસાર તેમણે દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને કાર્યાલના અધિકારીઓને આદેશ આપ્યા કે તેઓ પીડિતોની બનતી તમામ સહાયતા કરે.
Uttarakhand: A bus carrying more than 20 passengers falls in a gorge near Damta on Uttarkashi-Yamunotri Highway. More details awaited.
મહત્વનું છે કે ઉત્તરકાશી-યમુનોત્રી રાજમાર્ગ એક અકસ્માતગ્રસ્ત રોડ છે. જ્યાં અવારનવાર દુર્ઘટનાઓ બને છે. આ એક પ્રાઇવેટ બસ હતી જે જાનકીચટ્ટીથી વિકાસનગર જઇ રહી હતી.
દુર્ઘટના બાદ 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 2ના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા. દુર્ઘટનામાં ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયેલ 4 લોકોને સારવાર માટે દેહરાદૂન એક કેલિકોપ્ટરથી લઇ જવાયા છે.