હિમાચલ પ્રદેશમાં પઠાણકોટ-ડલહૌજી માર્ગ પર એક ખાનગી બસ શનિવારે બનીખેતની પાસે પંચુલામાં આવેલ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થઇ ગયા છે.
હિમાચલ પ્રદેશના પઠાનકોટ-ડેલહાઉસી રોડ પર એક ખાનગી બસ ખીણમાં પડી હતી. ચંબા જિલ્લાના બનીખેતની પાસે પંચપુલા ખીણમાં બસ પડી હતી. 200 ફૂટ ઉંડી ખીણમાં બસ ખાબકતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં બસ ખીણમાં પડવાથી 12 લોકોના મોત થયા હતા. જ્યારે 25થી વધુ લોકોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મળતી માહિતી મુજબ ડેલહાઉસીના DSPની આગેવાનીમાં પોલીસ ટીમ તપાસ કરી રહી છે. તો CM જયરામ ઠાકુરે પણ દુર્ઘટના અંગે માહિતી મેળવી હતી.
આ બસ દુર્ઘટના બાદ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જિલ્લા તંત્રને રાહત કામગીરી ઉપલબ્ધ કરવવા અને પીડિતોને તમામ સંભવ મદદ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે તંત્રને ઇજાગ્રસ્તો માટે તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવાના પણ આદેશ આપ્યા છે.