બેંગાલુરૂઃ કર્ણાટકના ચામરાજનગરમાં પ્રસાદ ખાવાથી 12 લોકોના મોત થયા છે. પ્રસાદ ખાવાથી અચાનક બિમાર પડતા 80 લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં રહેલા દર્દીઓ પૈકી 12ની હાલત ગંભીર છે. આ વાતની પુષ્ટી એસપી ધર્મેન્દ્ર કુમાર મીણાએ કરી છે.
આ સાથે મુખ્ય સચિવ અને કમિશ્નરે મંડ્યા અને મૈસૂરના ડીએચઓને આદેશ કર્યા છે કે તેઓ ચમરાજનગરમાં સ્વાસ્થ્ય વિભાગને તમામ જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવે.
Mysuru: Karnataka CM HD Kumaraswamy meets people who were hospitalised after they consumed prasad in Chamarajanagar today. 11 people have died in the incident and around 66 are undergoing treatment pic.twitter.com/UkQmCBxXbs
ત્યારે તાત્કાલિક સારવાર માટે મુખ્યમંત્રી કુમારસ્વામીએ આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે આ બહુજ દુખદ ઘટના છે જે કામગેરે ગામમાં બની છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. ત્યારે મૃતકોના પરિવારોને 5 લાખની સહાયની જાહેરાત કરી છે.
મહત્વનું છે કે પ્રસાદ ખાવાથી મોત થયાની માહિતી મળતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી. ત્યારે મુખ્યમંત્રી કુમારાસ્વામીએ તાત્કાલિક તપાસના આદેશ કર્યા છે અને તાત્કાલિક સુવિધાઓ પહોંચાડવા નિર્દેશ કર્યો છે.
જો કે આ ઘટનાને લઇને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે જેઓ બન્ને લોકો મંદિર પ્રશાસનના પ્રભારી છે.