અમદાવાદ: સવર્ણ લોકોને આર્થિક અનામત અને ખેડૂતોના દેવા માફીની માગને લઈ છેલ્લા 11 દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલની હવે ભાજપના બે દિગ્ગજ નેતાઓ મુલાકાત લેશે. આજે હાર્દિક પટેલના ઉપવાસનો 11 મો દિવસ છે.
ત્યારે ભાજપના શત્રુધ્ન સિંહા અને યશવંતસિન્હા મુલાકાતે લેશે. આ મુલાકાત આજે સાંજે 4 કલાકની આસપાસ રહેશે. મહત્વનું છે કે ભાજપના બંને દિગ્ગજ નેતાઓ સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા પણ હાર્દિકની મુલાકાત લેશે.
આપને જણાવી દઇએ કે છેલ્લા 10 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહેલા હાર્દિક પટેલને દિવસેને દિવસે સમર્થકો મળવા આવી રહ્યા છે. તેની સાથે કોંગ્રેસના અને અન્ય પક્ષના નેતાઓ પણ હાર્દિકને મળવા આવ્યા હતા.
આ સાથે ગુજરાતની ભાજપ સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ હાર્દિકને સમર્થન આપ્યું હતું. જો કે આજરોજ ભાજપના સાંસદ અને જાણીતા શત્રુધ્ન સિંહા અને યશવંતસિન્હા આજરોજ હાર્દિક પટેલને મળવાના છે.
ઉલ્લેખનીય છે કે આ સાથે પૂર્વ વડાપ્રધાન અને કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન એચ.ડી.દેવગૌડાએ પણ આજરોજ ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને હાર્દિક પટેલના ઉપવાસ મામલે ઉકેલ લાવવાની વાત કરી હતી. ત્યારે ભાજપના પણ કેટલાક નેતાઓની પાસ કન્વીનર સાથેની મુલાકાતથી વાતાવરણમાં ગરમાવો ફેલાયો છે.