પોતાને કુખે જન્મેલા પોતાના અંશને આમ ત્યજી દેતા માતાનો જીવ કેવી રીતે ચાલ્યો હશે? સુરતમાં ત્યજી દેવાયેલા બાળકોના ચોંકવાનારા આંકડા સામે આવ્યા છે. એ કેવી નિષ્ઠુર માતાઓ હશે જે પોતાના બાળકને આમ ત્યજીને ચાલી જતી હશે? આ આંકડાઓમાં બાળકીઓની સંખ્યા જોઈને સમાજની બેમોઢાળી માનસિકતા છતી થાય છે. કારણ કે, ત્યજી દેવાયેલા બાળકોમાં મેલ ચાઈલ્ડ કરતા ફિમેલ ચાઈલ્ડની સંખ્યા વધુ છે.
છેલ્લા 5 વર્ષમાં 119 બાળકો ત્યજી દેવાયા
49 બાળકો અને 70 બાળકીઓ ત્યજી દેવાઇ
શહેરના વિવિધ અનાથ આશ્રમોમાંથી આકડા આવ્યા સામે
સુરતમાં નિષ્ઠુર માતા-પિતા દ્વારા ત્યજી દેવાયેલા બાળકોના આંકડા સામે આવ્યા છે. છેલ્લા 5 વર્ષમાં 119 બાળકો ત્યજી દેવાયા છે. જેમાં 49 બાળકો અને 70 બાળકીઓ ત્યજી દેવાઇ છેય સુરત શહેરના વિવિધ અનાથ આશ્રમોમાંથી આકડા આવ્યા સામે આવ્યા છે.
સૌથી વધુ બાળકો વર્ષ 2018-19માં ત્યજી દેવાયા
પાંચ વર્ષમાં સૌથી વધુ બાળકો વર્ષ 2018-19માં 29 બાળકોને ત્યજી દેવાયા હતા. ત્યજી દેવાયેલા બાળકો મળી પોલીસને કે કોઈને મળી આવે ત્યારે તેને સૌથી પહેલા સારવાર માટે સિવિલ હોસ્પિટલ કે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યાર બાદ આ બાળકનું સ્વાસ્થ્ય સરસ થઈ જાય એટલે તેને અનાથ આશ્રમમાં મૂકવામાં આવે છે.