કોરોના મહામારીમાં સ્વાસ્થ્ય સિસ્ટમ ભાંગી પડી છે તેની વધુ એક વાસ્તવિકતા સામે આવી છે
બોમ્બે હાઈકોર્ટની ઓરંગાબાદ બેચે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે
શું નેતાઓને જ્ઞાન હોય છે કે વેન્ટિલેટર્સ કઈ રીતે કામ કરે છે
હવે આગળની સુનવણી 28 મે એ
બોમ્બે હાઈકોર્ટની ઓરંગાબાદ બેચે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે
મહારાષ્ટના મરાઠાવાડામાં PM કેયર્સ ફંડમાંથી મળેલા વેન્ટિલેટર પર બોમ્બે હાઈકોર્ટની ઓરંગાબાદ બેચે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે. કોર્ટે આ મામલાને ગંભીર રીતે લીધો છે અને કહ્યું કે આના કારણે દર્દીઓનો જીવ પણ ગયો હોત, હવે આગળની સુનવણી 28 મે એ થશે. કોર્ટે વેન્ટિલેટર ચેક કરવા માટે હોસ્પિટલમાં જતાં નેતાઓને પણ ફટકાર લગાવી હતી. આ બેન્ચે કોર્ટ સમક્ષ કહ્યું કે "PM કેયર્સ ફંડમાંથી મળેલા 150માંથી 113 વેન્ટિલેટર ખરાબ નીકળ્યા છે" આ બધા જ વેન્ટિલેટર્સ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ઉપયોગ થવાના હતા. રાજય સરકાર તરફથી કોર્ટને કહેવામાં આવ્યું કે આ વેન્ટિલેટરના ઉપયોગથી દર્દીઓને હાઇપોફિસ્ક થઈ રહ્યું હતું, એટલે કે શરીરમાં ઑક્સીજન ઓછો થઈ રહ્યો હતો.
શું નેતાઓને જ્ઞાન હોય છે કે વેન્ટિલેટર્સ કઈ રીતે કામ કરે છે
આ મામલા માટે સુનવણી કરનાર જસ્ટિસ રવીન્દ્ર ઘુગેની બેચે કેન્દ્ર સરકારને આ બાબત પર સ્પષ્ટ ખુલાસો માંગ્યો છે. કોર્ટે કહ્યું છે કે આ ઘણો ગંભીર કેસ છે. સાથે જ હાઇકોર્ટે હોસ્પિટલમાં વેન્ટિલેટર ચેક કરવા માટે જતાં નેતાઓને પણ આડે હાથે લીધા હતા. હાઇકોર્ટે કહ્યું કે "અમને જાણ થઈ છે કે ખરાબ વેન્ટિલેટર્સની બાબતમાં ઘણા નેતાઓ પણ કૂદી પડ્યા છે. કેટલાક નેતાઓ તો વેન્ટિલેટર કામ કરે છે કે નહીં તે તપાસ કરવા પણ જાય છે. હાઇકોર્ટે વધુમાં કહ્યું કે "અમે આ બાબત પર નારાજગી વ્યકત કરીએ છીએ, શું આ નેતાઓને ખબર પણ પડે છે કે વેન્ટિલેટર્સ કઈ રીતે કામ કરતાં હોય છે એ વિશે? જો ખબર નથી પડતી તો મહેરબાની કરીને ચૂપ જ રહે"
હવે આગળની સુનવણી 28 મે એ
કોર્ટે કહ્યું કે વેન્ટિલેટર એક જીવનરક્ષકનું સાધન છે અને જો આ બરાબર રીતે કામ ન કરે તો દર્દીઓના જીવનું જોખમ વધી જાય છે. કોર્ટે કેન્દ્ર પાસે વેન્ટિલેટર ખરાબ થવાની સ્થિતિ પર સ્પષ્ટીકરણ કરવાનું કહ્યું છે. હવે 28 મે એ પછીની સુનવણી થશે.