ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 114 જિલ્લાના કુલ 112 કેસ સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી કેટલીક સાવધાની રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત એક ડર્ઝનથી વધારે રાજ્યોએ પોતાના સિનેમા હોલ, સ્કૂલ કોલેજ બંધ કરી દેવામાં આવ્યા છે.
કર્ણાટક સરકાર કોરોનાના દર્દીના સંપર્કમાં આવનારાઓને શોધી કરી છે
મહારાષ્ટ્રના સીએમ રિવ્યૂ મિટિંગ કરશે
અનેક રાજ્યોમાં સ્કૂલ -કોલેજ અને મોલ મલ્ટિપ્લેક્સ બંધ
સાર્ક દેશો સાથે એક્શન પ્લાન બનાવ્યો
રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને પહોંચી વળવા માટે સાર્ક દેશો સાથે એક સાથે આવ્યા અને સાથે મળીને એક્શન પ્લાન બનાવ્યો. દુનિયામાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 6 હજાર સોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં 2 લોકોના મોત નિપજ્યા છે.
ઉદ્ધવ ઠાકરે આજે બપોરે કોરોના વાયરસ પર રિવ્યૂ મીટિંગ કરશે
કર્ણાટકના કલબુર્ગીમાં સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારી એ લોકોની ઓળખ કરી રહ્યા છે જે કોરોના વાયરસના દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી લોકોને અપીલ કરી રહ્યું છે કે તેઓ પોતે સામે આવે અને તપાસ કરાવે. જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે બપોરે કોરોના વાયરસ પર રિવ્યૂ મીટિંગ કરશે. આ દરમિયાન તમામ જિલ્લાના કલેક્ટરો સાથે સર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં આ આંકડો સૌથી વધુ છે. અહી 32 લોકો કોરોના ગ્રસ્ત છે.
અત્યાર સુધીમાં કુલ 6515 લોકોના મોત થયા છે
વિશ્વના 157 દેશોમાં કોરોના વાયરસ પહોચ્યો છે ત્યારે અત્યાર સુધીમાં કુલ 6515 લોકોના મોત થયા છે. ગઈકાલે ઈટાલી દેશમાં 368 લોકોના મોત થયા હતા. કોરોનાથી ઈરાન દેશમાં વધુ 113 લોકોના મોત નીપજ્યા છે. તો સ્પેનમાં વધુ 96 લોકોના મોત, ફ્રાંસમાં 36, અમેરિકામાં 11, ઈંગ્લેડમાં 14 લોકોના મોત થયા છે. નેધરલેંડમાં 8, જાપાનમાં 2, ઓસ્ટ્રેલિયામાં 2 લોકોના મોત તો ફિલિપીન્સમાં 4, હંગેરીમાં 1, ચીનમાં 14 લોકોના મોત, યુરોપમાં હાલ સુધીમાં 2000 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસના કુલ 112 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોરોના વાયરસના વધુ 12 કેસ સામે આવ્યા હતા.