લોકશાહીનો પર્વ છે ત્યારે મત આપવો દરેક ભારતીયનો અધિકાર છે. પરંતુ આજે ક્યાંકને ક્યાંક આજની પેઢી પોતાના અધિકારથી થોડી દૂર ભાગી રહી છે.
શું તમે જાણો છો આમને? શું તમે ક્યારેય મળ્યા છો આમને? નહીં જ જાણતા હોઈ અને નહીં મળ્યા પણ હોઈ તો આજે જાણી લો. આ છે આપણા ગુજરાતના શતાયુ મતદારો. જેમના માટે દેશ હંમેશા પહેલા રહ્યો છે. ત્યારે જ તો આજે પણ મતદાન તેમના માટે સર્વોપરી છે.
110 વર્ષની ઉમર ધરાવતા દાદીમા રાણીબેન પરમાર. જેઓ દેશના ભાગલા પડ્યા ત્યારથી લઈ આજદીન સુધી એકપણ વખત મતદાન કરવાનું ચૂક્યા નથી. દાદીમાંના વિચાર એટલા સુંદર છે કે નાત-જાતની વાતો કરનારા નેતાઓ એકવાર પણ સાંભળે લેને તો શર્મસાર થઈ જાય.
96 વર્ષની ઉંમરના દાદા વલ્લભ મારવાનિયા. આટલી ઉમરે પણ ભલભલા યુવાઓને હંફાવી દે તેવી તેમનામાં સ્કૂર્તિ છે. દાદાએ આઝાદીની ચળવળ પણ જોઈ છે અને દેશના ભાગલા પણ. પરંતુ દેશના ભાગલા બાદ દેશના વિકાસમાં દાદાનો મત હંમેશ પહેલા રહ્યો છે. એટલે જ તો આઝાદીના આટલા વર્ષો પછી પણ ચૂંટણી આવે એટલે સૌથી પહેલા મતદાન મથક પર પહોંચી પોતાનો મત આપે છે. ત્યાર બાદ જ અન્ય લોકો મતદાન કરે છે.
મહત્વનું છે કે, જૂનાગઢ લોકસભા બેઠક પર આવા 15થી વધુ શતાયું મતદારો છે. જેઓ દર વર્ષે અચૂક મતદાન કરી પોતાનો રાષ્ટ્રધર્મ નિભાવે છે. ત્યારે હવે આ રાષ્ટ્રધર્મ નિભાવવાનો આપણો વારો છે.