પોલેન્ડની 11 વર્ષીય અલિસ્ઝા વાનાટકોએ પ્રધાનમંત્રી મોદી અને વિદેશ પ્રધાન બંનેને સંબોધીને પોતાના હાથે પત્ર લખીને અપીલ કરી છે કે કેટલાક સપ્તાહ પહેલા સુધી ગોવા તેમનુ ઘર હતુ અને હવે ફરીથી તેને પોતાના ઘર ગોવામાં રહેવાની મંજૂરી આપવામાં આવે. બાળકીએ કહ્યુ કે, ''તે ભારત પરત ફરવા માગે છે જ્યાં તેના અને તેની માટે એક ઘર છે.''
અલિસ્જાએ પીએમ મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરને અપીલ કરી છે કે તેને અને તેની માતાને ફરી ગોવામાં રહેવાની અનુમતી આપવામાં આવે. તેણે કહ્યુ કે, પોલેંડમાં તેને રહેવું ગમતું નથી. ભારતમાં તે ગોવાની પોતાની જૂની જિંદગી ખૂબ જ યાદ કરે છે. તેણે વધુ પત્રમાં જણાવ્યુ કે, “હું ગોવામાં મારી સ્કૂલને ખૂબ જ પ્રેમ કરું છું. ત્યાંના પ્રાકૃતિક દ્રશ્યો અને પ્રાણીઓના રેસ્ક્યુ સેન્ટરમાં ગાયોની દેખભાળને કરવાની મારી દિનચર્યાને મિસ કરુ છું.''
the letter my daughther who is out of school due to lack of action from MHA officers has written to Honoreable Prime Minister of India for help in our case @narendramodipic.twitter.com/PVIolpD9Ez
11 વર્ષની આ બાળકીએ પત્રમાં લખ્યું કે થોડો સમય પહેલા તેની માતા દેશની બહાર ગઇ અને ફરી તેને અને તેની માતાને ફરવાની અનુમતી આપવામાં આવી નહોતી. કિશોરીએ પત્રમાં લખ્યુ કે, ''24 માર્ચ પછી મમ્મી ભારત પરત ફરી શકી નહોતી અને કહેવામાં આવ્યું કે તેમના વીઝાની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે અને આ જ કારણે જ અમને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યો. જોકે આમાં અમારી કોઇ જ ભૂલ નથી. હાલમાં તો હું મારી મમ્મી સાથે છું, પરંતુ મારી જૂના લાઇફ અને ગોવાને ખૂબ જ મિસ કરુ છું. ''
અલિસ્જાએ પીએમ મોદીને અપીલ કરી હતી કે તેનું અને તેની માનું નામ બ્લેકલિસ્ટમાંથી દૂર કરવામા આવે અને તેમને ફરીથી ગોવામાં રહેવાની અનુમતી મળે. મહત્વનુ છે કે, એપ્રુલમા અલિસ્જાની માતા માતરુશકા કોતલારસ્કાએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને અપીલ કરી હતી કે તેને તેની દિકરી સાથે મળવા દેવામાં આવે. માતરુશકાને બેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિઝાની અવધિને વધારે સમય સુધી રોકાવાને કરાણે ડિટેન કરવામાં આવી હતી, જે પછી મારતુશકાએ માનવીય આધાર પર પોતાના દેશ પરત ફરવાની મંજૂરી આપી હતી અને પોતાની દિકરી સાથે ભારત છોડીને નીકળવુ પડ્યુ હતુ. હાલમાં બંને કંબોડિયામાં રહે છે.