સુરત જાણે ગુજરાતનુ ક્રાઈમ કેપીટલ બની ગયુ હોય તેમ હત્યા, મર્ડર, લૂંટ જેવી ખબરો શહેરીજનો માટે આમ બની ગઈ છે. એવામાં શહેરના પલસાણાના વિસ્તારમાં એક બાળકી સાથે નરાધમોએ બળાત્કાર ગુજારતા બાળકીનુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ મૃતક બાળકીના મૃતદેહને અંતિમસંસ્કાર માટે કડોદરા સ્મશાન ગૃહ ખાતે લઈ જવાયો હતો. જે બાળકીની અંતિમક્રીયામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાળકીના અંતિમસંસ્કાર કરાયા હતા. આ દરમિયાન બાળકીને મુખાગ્નિ આપતા તેના પિતાના હ્રદયસ્પર્શી રૂદનથી આસપાસ ઉભેલા લોકોની પણ આંખો ભરાઈ આવી હતી. બાળકીને મુખાગ્ની આપતા પિતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા.
દયારામે દુષ્કર્મ આચર્યું, કાલુરામે કરી હતી મદદઃ રેન્જ આઇજી રાજકુમાર પાંડિયન
આ મામલે રેન્જ આઇજી રાજકુમાર પાંડિયને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો ચૂક્યો છે. હાલ દયા અને કાલુરામ નામના ઇસમની અટકાયત કરાઈ છે. દયા અને કાલુરામ બાળકીને લોભામણી લાલચ આપી લઈ ગયો હતો. CCTV ફૂટેજ આધારે તમાપસમાં દયારામ અને કાલુરામ દેખાઈ આવ્યા હતા. દયારામએ બાળકીનો રેપ કરી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કાલુરામે દયારામને મદદ કરી હતી. રૂમનો પહેરો કરી બાદમાં તાળુ મારવા આવ્યો હતો. બીજા કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ કરાશે.
આપને જણાવી દઈએ કે, સુરતના જોળવામાં આવેલ એક બિલ્ડીંગમાં બાળકીને લઈ જઈને આરોપીએ દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાદ આરોપીઓ વિરૂદ્ધ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને પોલીસ, LCB અને SOGની ટીમ પણ દોડતી થઈ હતી. પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા છે.