હરિણાયાના 11 વર્ષીય બાળકની મંગળવારે દિલ્હીના એમ્સમાં મોત થયું છે.
11 વર્ષીય બાળકનું દિલ્હી એમ્સમાં મોત
બાળક H5N1 વાયરસથી સંક્રમિત હતો
બાળકનું નામ સુશીલ હતુ
11 વર્ષીય બાળકનું દિલ્હી એમ્સમાં મોત
દિલ્હી એમ્સમાં જીવ ગુમાવનાર બાળક H5N1 વાયરસથી સંક્રમિત હતો. જે એવિયન ઈન્ફ્લૂએન્ઝા અથવા બર્ડ ફ્લૂ પણ કહેવામાં આવે છે. પૂણેના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના એક રિપોર્ટમાં સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી છે.
બાળક H5N1 વાયરસથી સંક્રમિત હતો
સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું કે તેમના સેમ્પલની તપાસ કોવિડ 19 નેગેટિવ આવ્યા છે પરંતુ ઈન્ફ્લૂએન્ઝાના ટેસ્ટમાં તે પોઝિટિવ આપ્યા છે. એનઆઈવીએ તેનામાં H5N1ની પુષ્ટિ કરી છે.
બાળકનું નામ સુશીલ હતુ
નિમોનિયા અને લ્યૂકેમિયાની સાથે 2 જુલાઈએ દાખલ થયેલા બાળકનું નામ સુશીલ હતુ. તેના સંપર્કમાં આવેલી હોસ્પિટલની સાથે કર્મચારીઓએ શક્ય સંક્રમણના લક્ષણો અને રિપોર્ટની ઓળખ કરી તેને આઈસોલેશનમાં રહેવા માટે કહ્યુ હતુ.
ગામમાં H5N1ના વધારે મામલાની તપાસ કરવામાં આવશે
સુશીલના ગામમાં H5N1ના વધારે મામલાની તપાસ કરવા અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલની એક ટીમને હરિયાણા મોકલવામાં આવશે. આ વર્ષની શરુઆતમાં હરિયાણા સહિત અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂના મામલાની ભારે લહેર બાદ હજારો જંગલી પક્ષી મૃત જોવા મળ્યા હતા અને હજારો મરઘી મારી ગઈ હતી.
આ મનુષ્યો માટે ઓછો ખતરો
જોકે અનેક સંક્રમણ વાયરસના એક અલગ પ્રકાર H5N1ના હતા. જે વિશેષજ્ઞોનું કહેવું છે કે આ મનુષ્યો માટે ઓછો ખતરો છે. તેમ છતાં જાન્યુઆરીના અંત સુધી કેન્દ્રએ એલર્ટ જારી કર્યુ હતુ કેમ કે આ મહારાષ્ટ્ર, ગુજરાત અને છત્તીસગઢની સાથે સાથે કેરળ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, યુપી અને પંજાબમાં પોલ્ટ્રીની વચ્ચે બર્ડ ફ્લૂની પુષ્ટી કરવામાં આવી હતી.