ગુજરાતમાં ફરી એકવાર વિરોધનો સૂર ઉઠ્યો છે. ગુજરાતના શિક્ષકો ગ્રેડ પેની માંગને લઇને વધુ એકવાર સરકાર સામે બાંયો ચઢાવી છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી શિક્ષકો ગ્રેડ પેની માગ કરી રહ્યા છે પરંતુ સરકારે આ મુદ્દે હજી કોઇ પગલા લીધા નથી. જેને લઇને ગુજરાતના 11 હજાર શિક્ષકો ગ્રેડ પેને લઇને આંદોલન કરશે.
9મીમેના રોજ શિક્ષકો આંદોલન પર
ગાંધીનગર ખાતે 9મેથી હજારોની સંખ્યામાં શિક્ષકો આંદોલનની શરુઆત કરશે. 11 હજાર શિક્ષકો 4200 ગ્રેડ પે મામલો રસ્તા પર ઉતરશે. 9મેના દિવસે પ્રતિક રુપે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં શિક્ષકો આંદોલન કરશે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરના શિક્ષકો જોડાશે. મહત્વનું છે કે સરકાર દ્વારા 4 મહાનગર પાલિકા અને 13 નગરપાલિકાના શિક્ષકોને 4200 રુપિયા ગ્રેડ પે આપવામાં આવ્યો નથી જેને કારણે શિક્ષકો આક્રમક મૂડમાં જણાયા છે.જો માંગ નહી સ્વીકારે તો અનિશ્ચિત ઉપવાસ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.
ન્યાય માટે પત્ર અભિયાન કરાયુ હતું શરું
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો છેલ્લા ઘણા સમયથી 4200 ગ્રેડ પેની માગ કરી રહ્યા છે તેઓએ આ અંગે કેન્દ્ર સુધી પણ રજૂઆતો કરી હતી. ન્યાય માટે પત્ર લખવાનું પણ અભિયાન શરુ કર્યુ હતું. આ પત્રો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા. જેમાં જણાવ્યું હતું કે બંધારણમાં સુધારો કરીને કલમ 370 અને અનુચ્છેદ 35-અ ની બંધારણીય ગૂંચ ઉકેલી શકાતી હોય તો શિક્ષકોના પગાર કેમ નહી ?
ગુજરાતભરના શિક્ષકો ગ્રેડ પેની કરી રહ્યા છે માગ
મહત્વનું છે કે છેલ્લા 23 વર્ષથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો અને સંઘ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી. વાયદો કરવામાં આવે છે પરંતુ તેનું પાલન થતુ નથી. શિક્ષકો અને સંઘ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી. પત્ર લખવાનું અભિયાન શરુ કર્યુ, છેલ્લા ઘણા વખતથી શિક્ષકો અને સંઘ દ્વારા અનેક રજુઆત કરવામાં આવી છે. આ ઉપરાંત ધરણાનો કાર્યક્રમ પણ આપવામાં આવી રહ્યો છે તેમ છતાં કોઈ ઉકેલ આવતો નથી.