ભારતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસ રેકોર્ડ સ્તરે વધી રહ્યો છે ત્યારે દિલ્હીમાં મંત્રાલયોમાં પણ કાળમુખો વાયરસ પોતાનો પગપેસારો કરી રહ્યો છે. પહેલા સ્વાસ્થ્ય મંત્રાલય પછી રક્ષા મંત્રાલય અને હવે શ્રમ મંત્રાલયમાં પણ કોરોના વાયરસનો હાહાકાર જોવા અમલી રહ્યો છે. શ્રમ મંત્રાલયમાં એકસાથે 11 અધિકારીઓ કોરોના પોઝિટિવ થતા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
શ્રમ અને રોજગાર મંત્રાલયનાં કાર્યાલયમાં એકસાથે 11 અધિકારીઓ કોરોનાના ઝપેટમાં
સ્વાસ્થ્ય મંત્રાલય, રક્ષા મંત્રાલય અને ઉપરાજ્યપાલ ઓફિસમાં પણ કોરોનાનો પગપેસારો
સ્વાસ્થ્ય મંત્રાલયે અધિકારીઓ માટે જાહેર કર્યા છે દિશા-નિર્દેશ
એકસાથે 11 અધિકારી કોરોનાની ઝપેટમાં આવતા હડકંપ
દેશમાં સતત કોરોના સંકટ વધતો જઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી દરરોજ દસ હજારની આસપાસ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. સોમવારે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયનાં કાર્યાલયમાં એકસાથે 11 અધિકારીઓ કોરોનાના ઝપેટમાં આવ્યા.
આ પહેલા પણ મંત્રાલયોના અધિકારીઓ કોરોના પોઝિટિવ થયા હતા
દેશમાં જે રીતે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તેમાં દિલ્હીના વિવિધ મંત્રાલયો પણ બાકાત નથી. અત્યાર સુધી કેટલાય મંત્રાલયોના અધિકારીઓ મહામારીની ઝપેટમાં આવી ગયા છે. પહેલા સ્વાસ્થ્ય મંત્રાલય પછી રક્ષા મંત્રાલય અને હવે શ્રમ મંત્રાલયમાં પણ કોરોના વાયરસનો હાહાકાર જોવા મળ્યો છે. આટલું જ નહીં દિલ્હી મેટ્રો અને દિલ્હીના ઉપરાજ્યપાલ ઓફિસના પણ કેટલાય અધિકારીઓ કોરોના પોઝિટિવ નીકળ્યા હતા.
ચૂંટણી પંચની ઓફીસમાં પણ એક અધિકારીને કોરોના
શ્રમ મંત્રાલયમાં એક સાથે 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સિવાય ચૂંટણી પંચમાં પણ એક અધિકારીને કોરોના હોવાનું સામે આવ્યું છે. અહિયાં EVM ડિવિઝનમાં કામ કરી રહેલા એક અધિકારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
અધિકારીઓમાં સંક્રમણ ન ફેલાય તે માટે દિશા-નિર્દેશ
અધિકારી દ્વારા સંક્રમણના ભયને જોતા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પણ કેટલાક દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. જેમાં સરકારી ઓફિસોમાં આવતા અધિકારીઓએ મસક પહેરવું, એકબીજાથી અંતર જાળવવું, મિટિંગમાં પણ દૂર દૂર બેસવું જેવા નિયમોનું પાલન જરૂરી છે.
ભારતમાં કોરોના વિસ્ફોટ
દેશમાં કોરોના વાયરસનાં આંકડાઓ પર નજર કરીએ તો કોરોના વાયરસ રેકોર્ડબ્રેક સ્તરે પોતાનું વિષ ફેલાવી રહ્યો છે. દેશમાં અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં સ્પેન અને ઇટલી જેવા દેશોથી પણ આગળ નીકળી રહેલા ભારતમાં દરરોજ દસ હજાર જેટલા કેસ સામે આવી રહ્યા છે. આ દરમિયાન આજથી દેશમાં મંદિરો અને મોલ પણ ખુલવા જઈ રહ્યા છે.