વિશ્વના તમામ મહાસાગરોમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા. જે બાદમાં પાણીની તપાસ કરતા વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે......
સમુદ્રની ઊંડાઈમાં 5,500 થી વધુ પ્રકારના RNA વાયરસ મળ્યા
11 એવા વાયરસ છે જે વૈશ્વિક કાર્બન આઉટપુટને કરે છે અસર
સંશોધકોએ કર્યું હતું વિશ્વના મહાસાગરોનું સર્વેક્ષણ
વૈજ્ઞાનિકોને સમુદ્રની ઊંડાઈમાં 5,500 થી વધુ પ્રકારના RNA વાયરસ મળ્યા છે. આમાંથી 11 એવા વાયરસ છે જે વૈશ્વિક કાર્બન આઉટપુટને અસર કરે છે. સંશોધકોએ વિશ્વના મહાસાગરોનું સર્વેક્ષણ કર્યું હતું. જ્યાં તેમને સમુદ્રની ઊંડાઈમાં છુપાયેલા 5,500થી વધુ નવા આરએનએ વાયરસ મળ્યા.સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલું આ સંશોધન ખાસ કરીને RNA વાયરસ વૈશ્વિક કાર્બન આઉટપુટને કેવી રીતે અસર કરે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
2008 અને 2011 ની વચ્ચે, વૈશ્વિક સંશોધન પ્રોજેક્ટ, તારા મહાસાગરમાં આ શોધ કરવામાં આવી હતી. જેમાં વિશ્વના તમામ મહાસાગરોમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. પાણીની તપાસ કરતા વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે આ નમૂનાઓમાં હજારો ડીએનએ વાયરસ અને પાંચ ચોક્કસ ઇકોલોજીકલ ઝોન છે.
શું છે આરએનએ ?
આરએનએ ડીએનએ જેવું જ છે. આરએનએ વાયરસ મનુષ્યના રોગોમાં જાણીતા છે. કેટલાક આરએનએ વાયરસ ફ્લૂ અને કોવિડ-19નું કારણ બને છે. આ વર્ષની શરૂઆતમાં ટીમે બીજો પેપર પ્રકાશિત કર્યો, જ્યાં તેઓએ 5,500 થી વધુ પ્રકારના RNA વાયરસની ઓળખ કરી, જે લગભગ તમામ નવા છે.
સમગ્ર મામલે ટીમનું કહેવું છે કે, તેઓએ લગભગ 5,500 આરએનએ વાયરસમાંથી 11 આરએનએ વાયરસની ઓળખ કરી છે જે કાર્બન પંપ માટે મહત્વપૂર્ણ છે. સંશોધકોએ એક કોમ્પ્યુટર મોડલ પણ બનાવ્યું છે જે મહાસાગરના આપેલ વિસ્તારમાં કાર્બન પંપની ક્રિયાની આગાહી કરી શકે છે. આ મોડલની મદદથી ક્લાઈમેટ મોડલ પણ કહી શકાય છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વાયરસ કેવી રીતે કાર્બન પંપને વધારી કે ઘટાડી શકે છે.
નવા અભ્યાસના મુખ્ય લેખક, ગ્યુલેર્મો ડોમિન્ગ્યુઝ-હુરટા કહે છે કે અમને ખાતરી છે કે સમુદ્રમાં મોટાભાગના આરએનએ વાયરસ ફૂગ, પ્રોટિસ્ટ્સ અને થોડા અંશે અપૃષ્ઠવંશી પ્રાણીઓ જેવા માઇક્રોબાયલ યુકેરીયોટ્સને ચેપ લગાડે છે. નવા પેપરમાં, સંશોધકોએ કાર્બન સિક્વેસ્ટ્રેશનમાં વાયરસની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મહાસાગર દર વર્ષે 12 ગીગાટોન મોટા પ્રમાણમાં કાર્બન ઉત્પન્ન કરે છે, જે એક વર્ષમાં માનવીય કારણે થતા કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનના ત્રીજા ભાગની સમકક્ષ છે. આ મોટી સંખ્યામાં સૂક્ષ્મ જીવો પ્લાન્કટોનને કારણે છે. જ્યારે તેઓ મૃત્યુ પામે છે, ત્યારે તેમના કાર્બનથી ભરેલા શરીર સમુદ્રના તળિયે ડૂબી જાય છે. પછી તેઓ ત્યાં જ અટકી જાય છે. તેને ઓર્ગેનિક કાર્બન પંપ કહેવામાં આવે છે.