ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને 11 નવેમ્બરે દેશભરમાં ડોક્ટર્સની હડતાલની જાહેરાત કરી હતી. દરેક પ્રાઈવેટ હોસ્પિટલોમાં ઓપીડી બંધ રહેશે. આ હડતાલ પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદિક ડોક્ટરોને સર્જરીની મંજૂરી આપવા સરકારના નિર્ણયની વિરુદ્ધમાં કરવામાં આવી છે.
આજે દેશભરમાં રહેશે ડોક્ટર્સની હડતાલ
તમામ હોસ્પિટલોમાં કોવિડ સેવાઓ રહેશે ચાવુ
દરેક પ્રાઈવેટ હોસ્પિટલોમાં ઓપીડી બંધ રહેશે
દેશવ્યાપી હડતાલમાં દરેક બિન જરૂરી અને બિન જરૂરી કોવિડ સેવાઓ બંધ રહેશે. જો કે આઈસીયૂ અને સીસીયૂ જેવી ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. પહેલાંથી નક્કી ઓપરેશન નહીં કરવામાં આવે. આઈએમએએ સંકેત આપ્યા છે કે આવનારા દિવસોમાં આ આંદોલન વધારે ઉગ્ર બની શકે છે.
પ્રાઈવેટ હોસ્પિટલોમાં બંધ રહેશે ઓપીડી
આઈએમએની હડતાલમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં ઓપીડી બંધ રહેશે અને સરકારી હોસ્પિટલો ચાલુ રહેશે. ખાનગી હોસ્પિટલમાં ફક્ત ઈમરજન્સી સ્વાસ્થ્ય સેવાઓ ચાલુ રહેશે. દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ ચાલુ રાખવા માટે ખાસ પગલાં લેવાઈ રહ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ હડતાલ ચાલુ રહેશે. CCIMની તરફથી અપાયેલી સૂચનામાં કહેવાયું છે કે આયુર્વેદના ડોક્ટર પણ હવે જનરલ અને ઓર્થોપેડિક સર્જરીની સાથે આંખ, કાન, ગળાની સર્જરી કરી શકશે.
કેન્દ્ર સરકારે 39 સામાન્ય સર્જરીની મંજૂરી આપી
સીસીઆઈએમની સૂચના અને નીતિ આયોગની તરફથી 4 સમિતિના સંગઠનથી ફક્ત મિક્સોપૈઐથીને વેગ મળ્યો છે. એસોસિયેશને સૂચના પરત લેવાની માંગ કરી છે. પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટર્સને સર્જરીનો અધિકાર અપાય તે માટે આ હડતાલ કરાઈ છે. આ ડોરક્ટર્સને 58 પ્રકારની સર્જરી શીખવા અને પ્રેક્ટિસ કરવાની પરવાનગી પણ આપી છે. જે અધિસૂચના જાહેર કરાઈ છે તેમાં 39 સામાન્ય સર્જરી અને પ્રક્રિયાને જાહેર કરાયા છે જેમાં 19 પ્રક્રિયાઓ આંખ, નાક, કાન અને ગળા સાથે જોડાયેલી છે.
સરકાર પાસે નિર્ણય પરત લેવાની માંગ
કેન્દ્ર સરકારના આયુર્વેદ ડોક્ટર્સને સર્જરીની મંજૂરી આપવાનો નિર્ણયનો આઈએમએ વિરોધ કરી રહ્યું છે. આ કારણે આજે હડતાલ કરવામાં આવી છે. ખાસ કરીને સરકારના નિર્ણયથી એલોપેથીના ડોક્ટર્સમાં નારાજગીનો માહોલ છે.