જોધપુરના દેચૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. પાકિસ્તાનથી આવેલ પરિવારના 11 સભ્યોના મોત બાદ હવે મૃતક લક્ષ્મી ભીલનો મરતા પહેલાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો લગભગ દોઢ કલાક પહેલાનો છે જેમાં મોતનું કારણ જાણી તમે હચમચી જશો.
મંડોર વિસ્તારના પોલીસ પર પણ હેરાનગતિનો આરોપ લગાવ્યો છે
મૃતક લક્ષ્મી ભીલનો મરતા પહેલાનો વીડિયો સામે આવ્યો છે
પાકિસ્તાનથી આવેલ પરિવારના 11 સભ્યોના મોત બાદ થયું એવું કે
આ વીડિયોમાં લક્ષ્મીના પાકિસ્તાનથી ભારત આવવા તથા એ બાદ સરકારી અને પોલીસ સિસ્ટમ પર અનેક સવાલો ઉભા કરી રહ્યો છે. લક્ષ્મીના પાકિસ્તાનમાં ભારત આવ્યા બાદ તેની સાથે જે થયું તેનો ઘટનાક્રમ તથા જોધપુરના મંડોર વિસ્તારના પોલીસ પર પણ હેરાનગતિનો આરોપ લગાવ્યો છે.
રવિવારે જોધપુરમાં દેચૂ પોલીસ સ્ટેશન વિસ્તારના લોડતા ગામની નજીક નલકૂપ પર ખેતી કામ કરતા પાકિસ્તાનથી ભારત આવેલા 11 લોકોના મૃતદેહ એક રુમમાં મળ્યા હતા. પોલીસે તેને આત્મહત્યા માની તપાસ આદરી હતી. આ દરમિયા મૃતક લક્ષ્મીનો એક વીડિયો સામે આવ્યો છે.
જેમાં લક્ષ્મીએ જોધપુરના મંડોર પોલીસ, એસીપીથી લઈને પોલીસકર્મીઓ પર હેરાનગતિ કર્યાનો આરોપ લગાવ્યો છે. 30 જુલાઈના રોડ મંડોર પોલીસે તેની ધરપકડ કરી હતી. આ બાદ તેને ગોળી અને જબરજસ્તી ઈન્જેક્શન આપ્યાનો આરોપ લગાવ્યો છે. જેમાં તેણે પોલીસે પરિવારને ધમકાવ્યા સહિત કેવી રીતે ભારત આવ્યા બાદ આમ તેમ ભટકવું પડ્યું હતુ તેની વાત પણ કરી છે.
તેણે કહ્યું કે તેના દાદા, પરદાદા ભારતના હતા અને પાકિસ્તાનમાં જીવન સંકટમાં હોઈ 2015માં અહીં આવી હતી. તેણે કહ્યું કે અહીં વહીવટી તંત્રને પોતાની સમસ્યા કહી પણ કોઈએ ન સાંભળી. અમને આશા હતી કે પીએમ મોદીને પોતાની વાત પહોંચાડી પણ તે પહોંચી કે નહીં ખબર નથી. પણ અત્યારે મારી વાત હું પીએમ સુધી પહોંચાડી રહી છુ.
તેણે વીડિયોમાં પીએમ પાસે ન્યાયની માંગ કરી છે અને વીડિયોમાં પરિવારના એક એક સભ્યની વાત અને એક એક ઘટનાક્રમ અંગે જણાવ્યું છે. તેમણે કહ્યું કે મે ડાયરીમાં તમામ બાબતો લખી છે. આ કેસ અંગે ડીસીપીએ કહ્યું કે લક્ષ્મીની સાથે તેના ભાઈના સાસરીયા તરફથી આ તમામ પ્રકરણ નોંધાવવામાં આવ્યું છે. તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનથી ભારતમાં હિંન્દુ શરણાર્થી તરીકે આવેલા બુદ્ધારામના પરિવાર છેલ્લા 3 મહિનાથી ખેતી કામ કરતા હતા. આ પરિવારમાં 12 લોકો હતા. શનિવારે તમામ લોકો જમીને સુઈ ગયા અને માત્ર એક વ્યક્તિ બુદ્ધારામ નીલ ગાય ભગાડવા ખેતરમાં ગયો હતા. જ્યાં તેને ઉંઘ આવી જતા તે ત્યાં સુઈ ગયો અને સવારે પાછો ફર્યો તો આખો પરિવાર ખતમ થઈ ગયો હતો. પોલીસને મૃતદેહો પાસેથી ઝેરી ઈન્જેક્શન મળ્યા હતા.